SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પાટણનાં જિનાલયો કોતરણી છે. ગભારા પાસેના બલાનક તરીકે ઓળખાતા ભાગની છતમાં પદ્માવતીદેવી, કમળકુંડ તથા કલ્પવૃક્ષના પાનની આજુબાજુ ચોરસ કમળકુંડની કોતરણી છે. રંગમંડપમાં બારણાંની ઉપરની દીવાલે પ્રસંગોના પટ છે જેવા કે – શાંતિનાથનો મેઘરથ રાજાવાળો પૂર્વભવ, પાંચ કલ્યાણકો, આદેશ્વરનું ઈશુરસથી પારણું. આ કામ હજુ ચાલુ છે. રંગમંડપમાંનો ઘંટ નવીનતાભર્યો, સુંદર છે. તેની સાંકળમાંના બગલાનાં શિલ્પોની ચાંચ અને પાંખમાં નાની ઘંટડીઓ છે, પહેરણ જેવું શિલ્પ છે ત્યાં ઘંટડી છે અને ચાર મયૂરો ચાંચમાં ઘંટ લઈને ઊભા હોય અને તેમના પગમાં વચ્ચે એક એમ કુલ પાંચ ઘંટનો બનેલો આ ઘંટ દર્શનીય છે. ગભારામાં શામળા પાર્શ્વનાથની જાણીતી, ભવ્ય, શામળી સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. તેમની ઊંચાઈ ૩૫” અને ૧૦”ની ફણા સાથે ગણીએ તો ૪૫”ની છે. અહીં પાંચ આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાઓની પાછળની દીવાલે ચાંદીનું ઉપસેલું પતરું જડેલું છે. રંગમંડપમાં ઘણા ગોખમાં પ્રતિમા તથા ગુરુમૂર્તિઓ બિરાજમાન છે. ગર્ભદ્વારની બહાર બલાનક તરીકે ઓળખાતા વિભાગમાં સામસામે બે ગોખ છે. જમણી તરફના ગોખમાં પાર્શ્વનાથ તથા ડાબી તરફના ગોખમાં અજિતનાથ બિરાજમાન છે. રંગમંડપમાં શામળા પાર્શ્વનાથની જમણી બાજુ પણ (જિનાલયના પ્રવેશદ્વારની સામે) એક દેવકુલિકા છે. અહીં ૫૧” ઊંચાઈ ધરાવતી આદેશ્વરની પ્રતિમા બિરાજમાન છે. આજુબાજુ શાંતિનાથ અને વિમલનાથની પ્રતિમા બિરાજમાન છે. આ જિનાલયના પુનર્નિર્માણ માટે પાયાનું ખોદકામ થયું ત્યારે અહીંથી ત્રણ પ્રતિમાઓ નીકળી હતી જે પૈકી બું આરસપ્રતિમા અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ દેવકુલિકામાં કુલ પાંચ આરસપ્રતિમા છે જે પૈકી એક શામળી પ્રતિમા છે. ત્રણ ધાતુપ્રતિમા કુલ છે. ડાબી બાજુ આ જ રીતે દેવકુલિકા છે. ત્યાં શ્રી શાંતિનાથની ૩૭” ઊંચાઈ ધરાવતી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયકની આજુબાજુ આદેશ્વર અને મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. અત્રે આરસપ્રતિમા પાંચ છે જે પૈકી બે કાઉસ્સગ્ન મુદ્રામાં પેનલમાં છે અને એક પ્રતિમા ખોદકામ કરતાં નીકળી હતી તે પૈકીની એક છે. ધાતુપ્રતિમા પાંચ છે, જે પૈકી બે ખૂબ જ નાની છે. પાર્શ્વનાથની એક ધાતુપ્રતિમાનું પરિકર કલાત્મક છે. જમણી બાજુની દેવકુલિકાની ડાબી બાજુ ગોખ છે તેમાં સુમતિનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત થયેલ છે. દેવકુલિકાની જમણી બાજુની રંગમંડપની દીવાલે અન્ય ત્રણ ગોખ છે. તેમાં પ્રથમ ગોખે વિમલનાથ અને ત્રીજા ગોખે શાંતિનાથ પ્રતિષ્ઠિત થયેલ છે. વચલા ગોખમાં ગૌતમસ્વામીની બે પ્રતિમા છે જે પૈકી એક નવી બનેલી છે અને બીજી જે રાતી ઝાંયવાળા આરસની છે તે જૂના જિનાલયમાંની છે. આ જ પ્રમાણે ડાબી બાજુની દેવકુલિકાની બાજુમાં આદેશ્વરનો ગોખ છે. રંગમંડપની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy