________________
પાટણનાં જિનાલયો
૧૮૧ બિરાજમાન હતી. જિનાલયનો સમય સં. ૧૮૪૬નો દર્શાવ્યો છે. સંભવ છે કે તે સમયે આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હશે. તે અંગેનો કોઈ લેખ સં. ૧૯૬૩માં ઉપલબ્ધ હશે. આજે એવો કોઈ આધાર મળતો નથી. પરંતુ જિનાલય તે સમય કરતાં પણ વધુ પ્રાચીન છે. ઉપરાંત તે સમયે મલાતના પાડામાં શા. ભિખાલાલ નથુચંદ તથા શાભિખાલાલ વધુચંદ – એમ બે ઘરદેરાસરો વિદ્યમાન હતાં.
સં. ૨૦૦૮માં તથા સં. ૨૦૧૮માં મલાતના પાડામાં મલ્લિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
આજે મલાતના પાડામાં જ રહેતા શ્રી ચંદુલાલ વીરચંદદાસ શાહ તથા તેમના પુત્ર શ્રી અનિલકુમાર ચંદુલાલ શાહ જિનાલયના વહીવટદાર તરીકે સેવાઓ આપે છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૪૮ પૂર્વેનું છે.
જોગીવાડો શામળા પાર્શ્વનાથ (સં. ૧૭૭૭ પૂર્વે)
“જોગીવાડે જાગતો ને માતો ધીંગડમલ્લ
શામળો સોહામણો કંઈ જીત્યા આઠે મલ્લ”, ભાગ્યે જ કોઈ શ્રાવક સ્તવનની આ પંક્તિઓથી અજાણ હશે. પાર્શ્વનાથના જિનાલયમાં ચૈત્યવંદન કરતાં પ્રાયઃ શ્રાવક-શ્રાવિકાને મુખે સૌ પ્રથમ આ સ્તવન જીભે ચઢે છે. જોગીવાડાના આ શામળા પાર્શ્વનાથ તે પાટણના એવું કદાચ બધા શ્રાવકો ન પણ જાણતા હોય ! મહેસાણાના સીમંધરસ્વામીના જિનાલયની યાદ આપતું ખૂબ જ ઊંચા ઓટલાવાળું શ્રી શામળા પાર્શ્વનાથનું એક વિશાળ, આરસનું શિખરબંધી જિનાલય નજરે ચડે છે. દૂરથી જ એની લહેરાતી ધજા ભાવિકોને લોહચુંબકની પેઠે આકર્ષે છે. જીર્ણોદ્ધારનું કામકાજ ચાલુ છે. સં. ૨૦૫રમાં મહા સુદ ૧૫ના રોજ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજીના હસ્તે પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
જીર્ણોદ્ધાર પૂર્વે આ જિનાલય આવું વિશાળ, આટલી બધી ઊંચાઈએ ન હતું. અગાઉ તે જમીન સરસું, ખૂબ નાનું અને કાચનું જિનાલય હતું. પૂર્વે જિનાલય તેના કાચકામ, મીના કારીગરી તથા પ્રતિમાની ભવ્યતા અને હાજરાહજૂરતાને કારણે પ્રસિદ્ધ હતું. હવે એનો બાહ્ય દેખાવ પણ ફરી ગયો છે. હવે વીસેક પગથિયાં ચડો એટલે શૃંગારચોકી આવે. જિનાલયની મુલાકાત લેવાઈ ત્યારે અંદરના રંગમંડપ અને તેના ઘુમ્મટનું કામ ચાલુ હતું. પ્રવેશચોકીમાં આજુબાજુ બે દેરીઓ છે. તેમાં ડાબી બાજુ પાર્શ્વયક્ષ અને જમણી બાજુ પદ્માવતીદેવીની મૂર્તિઓ છે. પ્રવેશદ્વારે અષ્ટમંગલની રચના તથા બારીઓ પર ચૌદ સ્વપ્નોની રચના છે.
રંગમંડપ વિશાળ છે. તેમાં અનેક સ્તંભો છે અને તેની ઉપર દેવીઓ, યક્ષો તથા પાનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org