SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ગભારામાં કુલ આઠ આરસપ્રતિમા અને ઓગણત્રીસ ધાતુપ્રતિમા છે. મૂળનાયક તરીકે ૨૫’’ ઊંચાઈ ધરાવતી શ્રી મલ્લિનાથની કસોટીના પથ્થરની શામળી પ્રતિમા બિરાજમાન છે. તેને લેખ નથી. પ્રતિમા પાસે રજતજડિત સોપાનયુક્ત કોટની રચનાસમેત પબાસન છે. ડાબે ગભારે શ્રી મહાવીરસ્વામી તથા જમણે ગભારે શ્રી ધર્મનાથ બિરાજમાન છે. આરસપ્રતિમા પૈકી બે પ્રતિમા સપરિકર વૃક્ષ નીચે બિરાજમાન છે. ધાતુપ્રતિમા ઉપરાંત ધાતુના ત્રણ યક્ષની મૂર્તિઓ છે જે પૈકી એક વિશિષ્ટ પ્રકારની છે. ૧૮૦ ઐતિહાસિક સંદર્ભ આજે રાજકાવાડા અંતર્ગત આવેલ મલાતનો પાડો અગાઉ મલ્લિનાથનો પાડો તથા મલ્લિનાથની પોળ તરીકે ઓળખાતો હતો. આ વિસ્તારમાં આવેલા મલ્લિનાથના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે : પાટિક મલ્લિનાથ વંદીઆ એ, એક સઉ ઉત્તરિ દેવ તુ, ધન ૨ જિના૮૫)' ` ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ મલ્લિનાથના પાડામાં આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપરાંત તે સમયે અન્ય એક બાવન જિનાલય પણ વિદ્યમાન હતું. બસે છાસઠ મલ્લિજિનવર, મલ્લિનાથપાડે મુદ્દા, બાવન જિન ને બાવન પ્રતિમા, વંદીએ તે સર્વદા 11411 સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયના મૂળનાયક શ્રી મલ્લિનાથની શ્યામવર્ણી પરિકરયુક્ત પ્રતિમાના કવિ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પોલિ શ્રી મલ્લિનાથની રે, ભેટા શ્રી મલ્લિનાથ, સાંમ વરણ પ્રભુ સોભતા રે, પરીકરસું જગનાથો રે. ૫ ચૈ સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં મલ્લીપાડે મલ્લિનાથ તથા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે : Jain Education International દકાલકોટડી એક દીપતું, સાલવીવાર્ડે આઠ; મલ્લીપાડે મલ્લીપાસજી, પૂજા કરો શુભ ઠ.ઠ સં ૧૬ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં આ વિસ્તારમાં માત્ર મલ્લિનાથના જિનાલય હોવાનો ઉલ્લેખ મળે છે : શ્રી યોગીવાડેદ્ભુતકાંતિમૂર્તિ, નમામિ વૈ શ્યામલપાર્શ્વનાથમ્ । શ્રી મલ્લિપાડે કિલ મલ્લિનાથં કષાયમલ્લ પ્રતિમલ્લનાથમ્ ॥૨૪॥ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મલાતનો પાડો વિસ્તારમાં મલ્લિનાથના આ જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. તે સમયે સાત આરસપ્રતિમા તથા બાવીસ ધાતુપ્રતિમા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy