________________
પાટણનાં જિનાલયો
કળશની રચના છે. ઓરડામાં કપચીકામ થયેલું છે.
મૂળનાયક તરીકે શ્રી આદેશ્વરની ૩” ઊંચાઈ ધરાવતી ચોવીસ ધાતુપ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકની પ્રતિમા પર લેખ છે તેમાંથી વાંચી શકાયેલા શબ્દો નીચે મુજબ છે : “સંવત ૧૫૧૦ વર્ષે ફાગુન વિદ પત્તનવાસી મં....કેન ભાર્યા વરજૂ પુત્ર શીવરાજ ભાર્યા આદિનાથ બિંબ ચતુર્વિશતિપટ કા તપાગચ્છે શ્રી રત્નશેખરસૂરિભિઃ
33
......
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં લખીયારવાડામાં સુતરીયા શેરીમાં ઉત્તમચંદ માનચંદ પરિવારનું એક ઘરદેરાસર વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. તે ઘરદેરાસરમાં એક આરસપ્રતિમા અને પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન હતી.
આજે આ ઘરદેરાસરમાં માત્ર છ ધાતુપ્રતિમા બિરાજમાન છે. ઉત્તમચંદ માનચંદ પરિવારનું જ આ ઘરદેરાસર છે કે અન્ય પરિવારનું તે અંગેની માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. અમારી માન્યતા પ્રમાણે આ ઘરદેરાસર સં ૧૯૬૩ પૂર્વેનું છે.
૧૭૯
મલાતનો પાડો, રાજકાવાડો મલ્લિનાથ (સં. ૧૬૪૮ પૂર્વે)
રાજકાવાડા વિસ્તારમાં આવેલા મલાતના પાડાના ચોકમાં શ્રી મલ્લિનાથનું સુરમ્ય એવું નાનું, ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. બહારના પ્રવેશના ભાગમાં જાળીવાળું નાનું બારણું છે. પછી ઓટલો આવે છે જેની એક બાજુએ કોટની દીવાલ ચણેલી છે. ઓટલા પર ચાર સાદા થાંભલા અને ઉપર ઘુમ્મટ છે. પછી પિત્તળથી મઢેલું સુંદર નકશીકામવાળું પ્રવેશદ્વાર આવે છે. તેની બારસાખમાં ઉપર ભગવાનની નાની દર્શનીય મૂર્તિ કંડારેલી છે. તેના ઉપરના ભાગમાં રથ પર બેઠેલા રાજાનું અંકન કરેલું છે.
Jain Education International
રંગમંડપનો ઘુમ્મટ કાષ્ટકોતરણીવાળો છે. તેમાં રાજુલની ચોરી અને નેમનાથના વરઘોડાની નકશી છે. જાળવણી માટે કાચનું ઢાંકણ કર્યું છે. રંગમંડપના સ્તંભો સાદા છે પણ રંગેલા છે. દીવાલો પર શત્રુંજય, અષ્ટાપદ, સમેતશિખર, ગિરનાર વગેરે પટ પથ્થરથી ઉપસાવીને બનાવેલા છે. બે ગોખ પૈકી એકમાં કુબેર યક્ષ અને બીજામાં વૈરોટ્યાદેવીની મૂર્તિ છે.
ગર્ભદ્વાર ત્રણ છે. તેની ઉપરની દીવાલે તીર્થંકર પ્રભુના ચ્યવન કલ્યાણક, જન્માભિષેક, ઇન્દ્રના પાંચ રૂપ, દિકુમારીઓ વડે કરાતો ઉત્સવ અને સમવસરણના પ્રસંગો ચિત્રિત કર્યા છે. એને પણ કાચથી મઢી દીધેલ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org