________________
૧૭૮
પાટણનાં જિનાલયો
લખીયારવાડો, રાજકાવાડો સુવિધિનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૬૩ પૂર્વે)
રાજકાવાડા વિસ્તારમાંના લખીયારવાડામાં શેઠ શ્રી બાપુલાલ લલ્લચંદ મોતીવાલાના ઘરમાં ત્રીજે માળે એક ઓરડામાં આ નાનું જિનાલય છે. ૨૦ વર્ષ પૂર્વે જ તેમાં કાચનું કારીગરીવાળું કામ કરાવવામાં આવેલ છે.
ઓરડાની દીવાલ પર પાવાપુરી, પ્રભુના ચ્યવન કલ્યાણકનો પ્રસંગ, શત્રુંજય વગેરે કાચના સુંદર પટ બનાવેલ છે. ભગવાન જયાં બિરાજમાન છે ત્યાં પણ આજુબાજુની ભીંતમાં ચૌદ સ્વપ્ન, કળશ, હાથી અને પરીઓ કાચમાં બનાવેલ છે.
આ ઘરદેરાસરમાં મૂળનાયક તરીકે સુમતિનાથની ૩” ઊંચાઈ ધરાવતી, પરિકરમાં ચોવીસ ભગવાનવાળી, ધાતુમૂર્તિ બિરાજમાન છે. મૂળનાયક સુમતિનાથની પ્રતિમા પર સં. ૧૫૪૩નો લેખ છે જે નીચે મુજબ છે.
સંવત ૧૫૪૩ વર્ષે જેઠ સુદ ૧૦ ગુરુ શ્રીમાલ જ્ઞાતીય સુગંધી પોપા ભાર્યા સૂત દેધર ભાર્યા રત્ન સૂત ખીમા માણિકા સૂત પેથાકત્તસહિતેન શ્રી સુવિધિનાથબિંબ ચતુર્વિશતિપટ કારાપિત પ્રતિષ્ઠિત શ્રી સૂરિભિઃ પત્તનવાસ્તવ્ય”
અહીં આ ઉપરાંત એક અન્ય ચાંદીની પ્રતિમા છે. તે શ્રી મુનિસુવ્રતસ્વામીની છે. ઉપરાંત અહીં કેટલાંક યંત્રો પણ છે. મૂળનાયકની પ્રતિમાની પાછળના ભાગમાં ચાંદીનું પતરું જડેલ છે. તેમાં ચામર વીંઝતાં બે ઇન્દ્રો, બે દેવીઓ તથા ચૌદ સ્વપ્નો ઉપસાવેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં લખીયારવાડામાં મોટી શેરીમાં લલુભાઈ ઉજમદાસ પરિવારનું એક ઘરદેરાસર વિદ્યમાન હતું. તે સમયે એક ધાતુપ્રતિમા તથા ચાંદીની એક પ્રતિમા બિરાજમાન હતી.
ટૂંકમાં આ ઘરદેરાસર સં. ૧૯૬૩ પૂર્વેનું છે.
લખીયારવાડો, રાજકાવાડો
આદેશ્વર (ઘરદેરાસર) (સં. ૧૯૬૩ પૂર્વે) રાજકાવાડા વિસ્તારમાં લખીયારવાડામાં શ્રી ચુનીલાલ ઉત્તમચંદ વોરાજી પરિવારનું ઘરદેરાસર આવેલું છે. પોળના ખૂણામાં આવેલા પોતાના મકાનના ત્રીજે માળે અગાશીમાં એક ખૂણામાં ઓરડો બનાવી તેમાં ખૂણા પર ચાંદીનું બે પગથિયાંવાળું પબાસન બનાવેલ છે. તેની ઉપર ચાંદીની ચાર નાની થાંભલીવાળી છત્રી પણ બનાવેલ છે. છત્રીમાં હાથી, દેવી અને ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org