SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ નિશાળનો પાડો, રાજકાવાડો સુમતિનાથ (સં. ૧૯૫૯ પૂર્વે) રાજકાવાડો નામના વિસ્તારમાં આવેલ નિશાળના પાડામાં પ્રવેશીએ એટલે છેક અંદર, ડાબી બાજુએ શ્રી સુમતિનાથનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. પાટણનાં જિનાલયો જિનાલયને એક જ પ્રવેશદ્વાર છે. શૃંગારચોકી સાદી છે. રંગમંડપમાં પ્રવેશદ્વાર પાસે ડાબી બાજુએ ગોખમાં શેઠ-શેઠાણીની મૂર્તિ છે. રંગમંડપની બન્ને દીવાલે લોખંડનાં મોટાં બે કબાટો છે. તેની બાજુમાં પટ છે. જમણી બાજુ ગિરનારજી અને ડાબી બાજુ શત્રુંજયનો પટ છે. એ પછી આ દીવાલો પર સામસામે બે મોટા અરીસા લગાડેલા જોવા મળે. સામસામે આવેલા બે ગોખ પૈકી જમણી બાજુના ગોખમાં મહાકાલીદેવીની અને ડાબી બાજુના ગોખમાં તુમ્બરુયક્ષની મૂર્તિ છે. ગભારાને એક ગર્ભદ્વાર છે. તેને ફરતે પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે. ગર્ભદ્વારની બારસાખની ઉપર શ્રી સમેતશિખરનો પટ છે. ગભારો નાનો છે. તેમાં નમણાં મુખવાળી શ્રી સુમતિનાથની ૨૧” ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા પરના લેખમાં “સં ૧૫૦૫ વર્ષે વૈ શુ ૫ જેટલું લખાણ વંચાય છે. શાસનદેવી પર વીર સંવત ૨૪૯૪ દર્શાવતો લેખ છે. અહીં કુલ સાત આરસપ્રતિમા અને અગિયાર ધાતુપ્રતિમા છે. ,, ઐતિહાસિક સંદર્ભ રાજકાવાડા અંતર્ગત આવેલો નિશાળનો પાડો સં ૧૯૫૯માં પં. હીરાલાલચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પાઠશાળના પાડા તરીકે ઓળખાતો હતો. સુમતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ સં૰ ૧૯૫૯માં સૌ પ્રથમ વાર મળે છે : સુમતિજિનપમીડે પાઠશાલાખ્યપાડે, ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નિશાળના પાડાનું સુમતિનાથનું આ જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. તે સમયે નવ આરસપ્રતિમા અને તેર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત તે સમયે આ વિસ્તારમાં બે ઘરદેરાસરો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. ૧. શા બધુભાઈ કેવળદાસ અને ૨. શા ઘેલાભાઈ છગનલાલ. સં ૨૦૦૮માં તથા સં ૨૦૦૮માં નિશાળના પાડામાં સુમતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. Jain Education International જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી પ્રવીણચંદ્ર મણિલાલ શાહ તથા શ્રી કાંતિલાલ કાળીદાસ શાહ હસ્તક છે. સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ન્યાયસેઠનો પાડો – એ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy