________________
પાટણનાં જિનાલયો
નામના વિસ્તારમાં સુમતિનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. ન્યાયસેઠનો પાડો ચૈત્યપરિપાટીમાં લખીયારવાડો અને ચોખાવટીયાના પાડાની વચ્ચે દર્શાવ્યો છે. ન્યાયસેઠના પાડાના સુમતિનાથના જિનાલયને અને નિશાળના પાડાના સુમતિનાથના જિનાલયની વચ્ચે કોઈ સંબંધ હશે ખરો ?
અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં૰ ૧૯૫૯ પૂર્વેનું છે. મૂળનાયક શ્રી સુમતિનાથની પ્રતિમા પર સં ૧૫૦૫નો લેખ છે તે સંદર્ભમાં જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી ક૨વા માટે વિશેષ સંશોધનની જરૂર છે.
લખીયારવાડો, રાજકાવાડો
લખીયારવાડામાં મોહનપાર્શ્વનાથ, સીમંધરસ્વામી તથા સંભવનાથનાં જિનાલયોનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે :
લખીયારવાડે રે મોહનપાસ મહિમા ઘણો, બિંબ ત્રણસે રે એકોત્તર તિહાં કણ ગણો, સીમંધર રે સ્વામી પ્રાસાદ બાસઠ જિના, બિંબ તેરસું રે, સંભવ સેવો એકમના
શાંતી
ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મોહન પાર્શ્વનાથ તથા એમ બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે :
સીમંધરસ્વામી
-
૧૭૩
લખીયાર વાડે વાંદીયે, સાહિબ મોહન પાસ,
બીજું સ્વામિ શ્રીમંદરુ રે, વિદેહ ક્ષેત્ર જસ વાસો રે.
૪ ચૈ
સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં લખીયારવાડામાં કુલ ત્રણ જિનાલયો હોવાનો ઉલ્લેખ મળે છે :
Jain Education International
ચોખાવટી વીશા તણું, પાડે દોય ને એક;
લખીયારવાડે ત્રિણ ભલાં, સેવો ધરીય વિવેક. સં ૧૭
ઉપર્યુક્ત બે જિનાલયો ઉપરાંત મુનિસુવ્રતસ્વામીનું જિનાલય સં ૧૮૨૧માં વિદ્યમાન હોવાની વિશેષ સંભાવના છે.
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મનમોહન પાર્શ્વનાથ, મુનિસુવ્રતસ્વામી તથા સીમંધરસ્વામી એમ કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે :
—
નમામિ ભક્ત્યા લખીઆરવાડે, પાર્શ્વ જિનેંદ્ર મનમોહનાખ્યમ્ । જિનાધિરાજં મુનિસુવ્રતં ચ, સીમંધરસ્વામિનમાપ્તમુખ્યમ્ ॥૨૫॥
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં લખીઆરવાડામાં સીમંધરસ્વામીનું જિનાલય
For Personal & Private Use Only
www.jainelibrary.org