________________
૧૭૦
બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૭માં ચોખાવટીયાના પાડામાં આદેશ્વર, ધર્મનાથ તથા શાંતિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૨૦૦૮માં આ વિસ્તારમાં સૌ પ્રથમ વાર મૂળનાયક તરીકે અજિતનાથનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તે સમયે અજિતનાથ, ધર્મનાથ અને શાંતિનાથનું સંયુક્ત જિનાલય વિદ્યમાન હતું. એટલે કે સં ૧૯૬૭ પછી અને સં ૨૦૦૮ પૂર્વે આ જિનાલયના મૂળનાયકમાં ફેરફાર થયેલો છે.
પાટણનાં જિનાલયો
આજે અજિતનાથના ગભારામાં નવ આરસપ્રતિમા અને પહેલે માળે આવેલાં શાંતિનાથના ગભારામાં નવ આરસપ્રતિમા બિરાજમાન છે. બન્ને ગભારામાં થઈને કુલ સાઠ ધાતુપ્રતિમા છે. વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી જયંતિભાઈ દલછાચંદ મહેતા હસ્તક છે.
આ જિનાલયના પહેલે માળ આવેલા શાંતિનાથ સં ૧૬૪૮ પૂર્વેના છે. આદેશ્વર તથા ધર્મનાથ સં૰ ૧૯૫૯ પૂર્વેના છે. અને અજિતનાથ સં. ૧૯૬૭ પછી અને સં ૨૦૦૮ પૂર્વેના છે. અજિતનાથની પ્રતિમા પર સં ૧૬૭૨નો લેખ છે. સં. ૧૯૬૭ થી સં ૨૦૦૮ દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનું માની શકાય.
મૂળનાયક અજિતનાથના સંદર્ભમાં આ જિનાલય સં. ૨૦૦૮ પૂર્વેનું નક્કી કરી શકાય. પરંતુ આજે પહેલે માળ આવેલા શાંતિનાથના જિનાલયના સંદર્ભમાં આ જિનાલય સં. ૧૬૪૮ પૂર્વેનું છે.
કેશુશેઠની પોળ, રાજકાવાડો અજિતનાથ (સં. ૧૯૫૯ પૂર્વે)
રાજકાવાડા વિસ્તારમાં આવેલ કેશશેઠની પોળમાં છેક અંદરના ભાગમાં આવેલા મોટા ચોકના ખૂણા પર સામરણયુક્ત શિખરવાળું શ્રી અજિતનાથનું જિનાલય આવેલું છે. રક્ષણ માટે હોય તેમ નીચે ચારેબાજુ ઓટલાને ફરતે પાળી બનાવી લોખંડની જાળી લગાવી દેવામાં આવેલ છે. વચ્ચે વચ્ચે હાથી હારબંધ ગોઠવેલ છે.
Jain Education International
લોખંડના જાળીવાળા મુખ્ય દ્વારમાં પ્રવેશી, ચાર પગથિયાં ચડીએ એટલે શૃંગારચોકી આવે. તેના પથ્થરના થાંભલા સાદી કોતરણીવાળા રંગીન છે. શૃંગારચોકી ઉપર નાનો ઘુમ્મટ છે. રંગમંડપમાં પ્રવેશવાના દ્વારની ઉપરના ભાગે ઇન્દ્ર અને નીચે દ્વારપાળ અંકિત કરેલા છે. તેની બારસાખમાં બન્ને બાજુએ પૂતળીઓ મૂકેલી છે. ઉપરના ભાગમાં વચ્ચે લક્ષ્મીજી અને હાથી તથા બાજુમાં ભગવાનની મૂર્તિ અને હાથી છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org