________________
૧૬૮
પાટણનાં જિનાલયો સં. ૨૦૦૮માં તથા સં ૨૦૧૮માં બળીયાપાડામાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
આજે આ જિનાલયનો વહીવટ અજિતનાથની પોળમાં (ચોખાવટીયાની પોળમાં) રહેતા શ્રી જયંતિભાઈ દલછાચંદ મહેતા હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૪૮ પૂર્વેનું છે.
અજિતનાથની પોળ (ચોખાવટીયાની પોળ), રાજકાવાડો
અજિતનાથ (સં. ૨૦૦૮ પૂર્વે) શાંતિનાથ (સં. ૧૬૪૮ પૂર્વે)
આજે રાજકાવાડા વિસ્તારમાં આવેલ અજિતનાથની પોળ અગાઉ ચોખવટીયાની પોળ તરીકે ઓળખાતી હતી. આજે આ પોળમાં બે મજલાવાળું શ્રી અજિતનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે
જિનાલયના પ્રવેશદ્વારની કમાનમાં આરસની એક સુંદર છત્રી છે. તેમાં જો કે મૂર્તિ નથી. ચામર વીંઝતાં બે હાથીનાં શિલ્પો પણ મનોહર છે. ત્યારબાદ એક નાનો ચોક આવે છે જે વટાવીને ચાર પગથિયાં ચઢતાં, જિનાલયની શૃંગારચોકી આવે. અહીંના કાષ્ઠતંભ અને તેનું તોરણ તથા ટોડલાની કોતરણી રમણીય છે. અહીં મધુબિન્દુના દષ્ટાંતનું ચિત્રકામ છે. બાજુમાં ગોખ પર બે ફોટાઓ છે જે પૈકી એક નાકોડા ભૈરવનો તથા અન્ય માણિભદ્રવીરનો છે. તેની નીચે ગોખમાં દેવમૂર્તિ છે. પ્રવેશદ્વારની બારસાખની ફરતે ફૂલોનાં ચિત્રો તથા ઉપરના ભાગે પાન, ફૂલ તથા વેલની બારીક કાષ્ટકોતરણી મનને મુગ્ધ બનાવે છે. બાજુની દીવાલે પદ્માવતીદેવી તથા માણિભદ્રવીરના ફોટા છે.
રંગમંડપમાં કાઇસ્તંભો અને બારીક કોતરણીયુક્ત ટોડલાઓ છે. મધ્યે જાળિયું છે અને તેને ફરતે કોતરણી છે. રંગમંડપની છત તથા દીવાલો પ્રસંગ અને પટથી ખચિત છે. અહીં ગિરનાર, શત્રુંજય તથા પાવાપુરીના પટ છે તથા મહાવીરસ્વામીના જીવનના ચંડકૌશિક નાગનો, કાનમાંથી ખીલા કાઢવાનો, ગોદોહન આસનમાં થયેલ કેવલજ્ઞાનપ્રાપ્તિ, ચંદનબાળા દ્વારા બાકુળા વહોરવાનો – પ્રસંગો ઉપરાંત આદેશ્વરનો ઈક્ષરસના પારણાનો તથા જન્માભિષેક પ્રસંગ તેમજ શ્રી પાર્શ્વનાથનો કમઠ દ્વારા થતો ઉપસર્ગનો પ્રસંગ ચિત્રિત થયેલાં છે. રંગમંડપની છતમાં ચૌદ સ્વપ્નો ચીતરાયાં છે.
ત્રણ ગર્ભદ્વારયુક્ત ગભારામાં કુલ નવ આરસપ્રતિમા અને છવ્વીસ ધાતુપ્રતિમા છે. વિશેષમાં અહીં ઘોઘાબાપજીની મૂર્તિ છે. અહીં મૂળનાયક તરીકે ૧૫” ઊંચાઈ ધરાવતી શ્રી અજિતનાથની પ્રતિમા બિરાજમાન છે. ડાબે ગભારે શ્રી આદેશ્વર તથા જમણે ગભારે શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org