________________
૧૬૬
અબજીમહેતાને પાડે શીતલનાથ, પ્રતિમા સડતાલીસ, પ્રતિમા દોએ શાન્તિનાથ.
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં શીતલનાથનું માત્ર એક જ જિનાલય વિદ્યમાન હતું.
અબજી મહતાનેં જઈ પાડા માંહે જિનરાજ, સીતલનાથ જોહારીયે, તારણતરણ જિહાજ.
સં. ૧૯૫૯માં પં હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ અબજીમહેતાના પાડામાં શીતલનાથના એક જિનાલયનો ઉલ્લેખ મળે છે :
પાટણનાં જિનાલયો
સભઠ્યા પ્રણમામિ શીતલમહં પાડેડબ્ધિમેતાભિધે,
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શીતલનાથના આ જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં સાત આરસપ્રતિમા અને અઠ્યાવીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત તે સમયે રવજીમેતાના પાડામાં ત્રિભુવનદાસ દીપચંદ પરિવારના એક ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. સંભવ છે કે અબજીમહેતાના પાડાના સંદર્ભમાં જ આ નામનો ઉલ્લેખ થયો હોય.
સં. ૨૦૦૮માં તથા સં ૨૦૧૮માં પણ શીતલનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે.
સ્થાનિક માહિતી પ્રમાણે આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. જો કે જીર્ણોદ્વારના સમયની માહિતી ઉપલબ્ધ નથી. વહીવટ આ વિસ્તારમાં રહેતા શ્રી વિક્રમભાઈ ખોડીદાસ સાંડેસ૨ા તથા મુંબઈનિવાસી શ્રી ચંદુલાલ લલ્લુભાઈ સાંડેસરા હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં ૧૬૪૮ પૂર્વેનું છે.
બળિયાપાડો, રાજકાવાડો આદેશ્વર (સં ૧૬૪૮ પૂર્વે)
Jain Education International
રાજકાવાડા વિસ્તારમાંના બળિયાપાડાની અંદર ખૂણામાં આરસ અને કાષ્ઠનિર્મિત શ્રી આદેશ્વરનું ઘરદેરાસર જેવું લાગતું એકલુ અટૂલું નાનું, ધાબાબંધી જિનાલય આવેલું છે. આજે આ
વિસ્તારમાં જૈનોની વસ્તી નથી.
જિનાલયના પ્રવેશદ્વારે કોતરેલા મોર છે. આખો રંગમંડપ વિવિધ પટ-પ્રસંગોથી ભરપૂર છે. અહીં ડાબી બાજુની દીવાલ પર શત્રુંજય, પાવાપુરીનો પટ તથા છ લેશ્યા દર્શાવતો પટ, ગજસુકુમાલમુનિ, ભગવાન મહાવીર તથા ચંડકૌશિક નાગનો પ્રસંગ ચિત્રિત થયા છે. ડાબી બાજુની દીવાલે સમેતિશખરનો પટ તથા ભગવાન આદેશ્વરનું ઈક્ષુરસથી થતું પારણું,
For Personal & Private Use Only
www.jainelibrary.org