SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૧૬૫ પોળ (અજિતનાથની પોળ), કેશુશેઠની પોળ, નિશાળનો પાડો, લખીયારવાડો તથા મલાતનો પાડો વિસ્તારો પૈકી આજે કસુંબીયાપાડો તથા સંઘવીની પોળ સ્વતંત્ર વિસ્તાર તરીકે ઓળખાય છે. જયારે બાકીના વિસ્તારો રાજકાવાડાની અંતર્ગત ગણાય છે. આ વિસ્તારોના જિનાલયોની વિગતવાર નોંધ હવે જોઈએ : અબજીમહેતાનો પાડો, રાજકાવાડો શીતલનાથ (સં. ૧૬૪૮ પૂર્વે) રાજકાવાડા વિસ્તારમાં આવેલી અબજી મહેતાની પોળમાં પ્રવેશતાં જ જિનાલયનો ઘુમ્મટ તથા તેનું પ્રવેશદ્વાર નજરે પડે છે. જિનાલય પોળના ખૂણાના ભાગમાં આવેલું છે. પ્રવેશતાં જે દેખાય છે તે પ્રવેશદ્વાર પોળની બહાર પડતું હોવાથી, હાલમાં તે બંધ રાખવામાં આવે છે. અંદરના ભાગે આવેલું અન્ય પ્રવેશદ્વાર ઉપયોગમાં લેવાય છે. ઝાંપામાંથી ચોકમાં પ્રવેશી, પાંચ પગથિયાં ચડો એટલે જિનાલયનો ઓટલો આવે. આ શૃંગારચોકીમાં રંગીન, કોતરણીયુક્ત છ થાંભલા છે અને લાકડાનાં ત્રણ પ્રવેશદ્વાર છે. એના પર મયૂર અને મંદિરની રચના છે. રંગમંડપમાં પણ સામસામે અન્ય બે દ્વાર છે. રંગમંડપની દીવાલ પર મધ્યમ કદના ચાર લાકડાનાં કબાટો છે. ડાબી બાજુ ચક્રેશ્વરીદેવીનો ગોખ છે. રંગમંડપના ઘુમ્મટમાં ઉપર નીચે આઠ આઠ નૃત્ય કરતી પૂતળીઓ છે. અષ્ટકોણ બનાવતા તોરણયુક્ત રંગીન થાંભલા છે. તેના પર પણ પૂતળીઓ છે. ત્રણ ગર્ભદ્વાર છે. ગભારામાં કુલ સાત આરસપ્રતિમા છે જે પૈકી ૨૫” ઊંચાઈ ધરાવતી શ્રી શીતલનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની બાજુમાં જ ૧૯” ઊંચાઈ ધરાવતી સ્ફટિકની શ્રી પાર્શ્વનાથની એક મનોહારી પ્રતિમા બિરાજમાન છે. વળી, અહીં સત્તાવીસ ધાતુપ્રતિમા છે. મૂળનાયકની પાછળની દીવાલે બે દેવીઓ ચિત્રિત કરેલ છે. ગભારા ફરતે પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે. ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. તે સમયે આ વિસ્તારમાં બે જિનાલયો વિદ્યમાન હતાં. ૧. શીતલનાથ અને ૨. શાંતિનાથ મહિતા અબજી પાટકિ જાણીઇ એ, શીતલ જિનવર દેવ તુ. ધન ૨ //જિટll૯૩ી. જિનવર સાત તિહાં અરીઆ એ, લહુ દેહરાં જિન શાંતિ તુ. ધન ૨ જિall૯૪ll સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ અબજીમહેતાના પાડામાં ઉપર્યુક્ત બે જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ મળે છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy