SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પાટણનાં જિનાલયો જિનાલયના ભોંયરામાં પરગટ પાર્શ્વનાથ બિરાજમાન હોવાનો ઉલ્લેખ મળે છે. એટલે કે તે સમયે આ જિનાલય ભોંયરાવાળું હતું. અગાઉ બન્ને જિનાલયો અલગ-અલગ દર્શાવેલાં છે. કસુંબીયા વાડે નમું રે, સાહિબ સીતલનાથ, ભુંયરા માહે પ્રભુ ભેટીયા રે, પરગટ પાર્શ્વનાથ. ૧૩ સો. સં. ૧૮૨૧માં ઉપાઠ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં કસુંબીઇવાડે બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે : કસુંબીઈ વાડે દોય વલી, યોગી એક દીઠ; અનુપમ પૂંજીઇં જાણીઇ, દેવલ દોય ગરીઠ. સં. ૧૮ જિનાલયમાં આજે મૂળનાયકની પાછળની દીવાલ પર “સં૧૯૩૮ શ્રાવણ વદ પાંચમ', મુજબનું લખાણ છે. સંભવ છે કે તે સમયે આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોય અને જીર્ણોદ્ધાર સમયે ભોંયરું પૂરી દેવામાં આવ્યું હોય અને ભોંયરામાંના પાર્શ્વનાથ ભગવાન ઉપર દેવકુલિકામાં બિરાજમાન કર્યા હોય તેવી શક્યતા છે. સં. ૧૯૫૯માં પં. હિરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં કસુંબીયાપાડામાં શીતલનાથ તથા ગોડી પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે : સદ્ભજ્યા પ્રણમામિ શીતલમહં પડેડબ્દિમેતાભિધે, તીર્થેશ ચ કસુંબિયાગમભિતો વંદે સદા શીતલમ્ | ગોડી પાર્શ્વમથો નમામિ કિલ સંઘશાખપાડે સ્થિતી, સં. ૧૯૫૯માં પાર્શ્વનાથને બદલે ગોડી પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર મળે છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગોડી પાર્શ્વનાથ તથા શીતલનાથના જિનાલયને અલગ-અલગ દર્શાવ્યા છે. ગોડી પાર્શ્વનાથનું જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. તેમાં પાંચ આરસપ્રતિમા અને નવ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. શીતલનાથનું જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. તેનો સમય સં૧૯૪૨ દર્શાવ્યો છે. સંભવ છે કે સં. ૧૯૩૮ કે સં. ૧૯૪૨માં જીર્ણોદ્ધાર થયો હોય. શીતલનાથના જિનાલયમાં બાર આરસપ્રતિમા અને અઢાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત સં. ૧૯૬૩માં કસુંબી પાડામાં શા બુલાખી રાયચંદ પરિવારનું ઘરદેરાસર પણ વિદ્યમાન હતું. સં. ૨૦૦૮માં તથા સં. ૨૦૧૮માં કસુંબીઆપાડામાં શીતલનાથ તથા ગોડી પાર્શ્વનાથના જિનાલયને સંયુક્ત જિનાલય દર્શાવવામાં આવ્યું છે. | જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી નરેનભાઈ ઈશ્વરલાલ સાંડેસરા, શ્રી કલ્પેશભાઈ શાંતિલાલ શાહ અને મુંબઈનિવાસી શ્રી રજનીભાઈ નાગરદાસ શાહ હસ્તક છે. ટૂંકમાં શીતલનાથ તથા ગોડી પાર્શ્વનાથનું આ સંયુક્ત જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy