________________
પાટણનાં જિનાલયો
૧૬૧
ઐતિહાસિક સંદર્ભ આ સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. તે સમયે રાજકાવાડા અંતર્ગત કસુંબીયાવાડાનો ઉલ્લેખ મળે છે. અહીં શીતલનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી તથા પાર્શ્વનાથ (મહ જસવંતનું ઘરદેરાસર) અને બઇસારુનું ઘરદેરાસર – એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતાં.
પાડઈ માં વિદ્યાધર શાંતિનાથ સોહકર સખકર પ્રતિમા ત્રણિ તિહાં ખરીએ કસૂબીઆપાડઈ કહી શીતલ જિન ભવને એ, સામહી નવ પ્રતિમા સેવા કરી એ ૩૫ બીજઇ દેહરઇ જાઈએ પાસ જિસેસર ધ્યાઈઇ, ગાઈડ બિંબ તેર નિતુ ભાવસું એ કોઠારી મનિ આણીએ ઠાર પ્રતિમા વીર જાણીશું ગુણ ઘણી મહં જસવંત ઘરિ આવસું એ ૩૬ સામલ વન્ન શ્રી પાસ એ પૂરઈ મનની આસ એ પાસઈ એ ત્રિણિ પ્રતિમા પીતલ તણી છે આવ્યા ઘરિ બUસારુ એ કાસગીયા બે વારુ એ ધારુ એ નવ પ્રતિમા તિહાં ગુણ ઘુણી એ ૩૭
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કુસુંભીઆપાડો વિસ્તારમાં શીતલનાથ તથા પાર્શ્વનાથનાં બે જિનાલયો અને જગપાલનું ઘરદેરાસર તથા મનમોહન પાર્શ્વનાથ (વાછા દોસીના ઘરે) – એમ કુલ ચાર જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
કસુંબીઆ પાટકિ હિવઈ, દીઠલા શીતલ દેવ રે. ઉગણીસ પડિયા તિહાં જુહારીઇ, વારીએ દુરગતિ દેવ રે I૯પા પેષઉ ૨ શ્રી જિનચંદ્રમા, પામઉ ર સુખ ઉદાર રે. ભવિએ ચકોર જિણઈ દીઠઈ, ઉલ્હસઈ હઈઇ અપાર રે. પેષુ ૨ શ્રી જિન
આંચલી બીજઈ દેહરઈ હિવઈ વદીઇ, પાતજિન પ્રતિમા બાર રે જગપાલ દેહરાસરિ નમી, પડિમા વીસ જ સાર રે પેષુ ૯૬ll વાછા દોસી ઘરિ હિવઈ પૂજઈ, મોહનપાસ જિનદેવ રે.
સોલ જ બિંબ અવર નમું, કીજઈ ર ભગતઈં સેવ રે | પપુ૯૭ળા, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કોસંબીયાપાડામાં શીતલનાથ અને પાર્શ્વનાથના જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે :
કોસંબીયાપાડે શીતલબિંબ અઢાર,
શ્રી પાસ જિણેસર બીજે દેહરે જુહાર // ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં શીતલનાથના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org