________________
પાટણનાં જિનાલયો
છે. આખો લેખ વંચાતો નથી. પરંતુ તેમાં જે થોડા શબ્દો ઉકેલી શકાયા છે તે મૂળનાયકની પ્રતિમા પરના શબ્દો છે તે જ છે. આમ બન્ને પ્રતિમા એક જ સૈકાની છે તે સ્પષ્ટ છે. બન્ને પ્રતિમાઓના મુખ બાળકના મુખ જેવા સુંદર છે. ડાબે ગભારે શ્રી આદેશ્વરની ૩૩” ઊંચાઈ ધરાવતી સંપ્રતિ મહારાજના સમયની ભવ્ય પ્રતિમા બિરાજે છે. આ પ્રતિમા પર પણ એક જ બાજુ લેખ છે. તેમાં ‘.... વાસ્તવ્ય સાહા .. ભ પાલકેન શ્રી આદિનાથ બિંબં કારાપિત પ્રતિષ્ઠિત । શ્રી ।' — એ મુજબનું લખાણ વાંચી શકાય છે. એનો લેખ કે સંવત સ્પષ્ટતયા વાંચી શકાતા નથી. અહીં કુલ ચાર આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા છે.
આ જિનાલયની જાળવણી અને જીર્ણોદ્વારની જરૂર છે.
ઐતિહાસિક સંદર્ભ
અગાઉ જોયું તેમ જિનાલયના મૂળનાયક વિમલનાથની ધાતુપ્રતિમા પર સં. ૧૫૧૮નો લેખ છે. ઉપરાંત સુમતિનાથની પ્રતિમા પર પણ લેખ છે. લેખમાં સંવત વંચાતી નથી. પરંતુ સંવત ૧૫૧૮ હોવાનો પૂરો સંભવ છે.
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પાર્શ્વનાથના જિનાલયમાં પિત્તળના બે બિંબની નોંધ આપવામાં આવી છે :
પીતલમે દોય બિંબ વિસાલ, પ્રતિમા તેહની અતિસુકમાલ । દીસે ઝાકઝમાલ તો ।। જયો જયો
ዘረዘ
આ બે બિંબો વિમલનાથના તથા સુમતિનાથના હોવાનું સંભવી શકે છે.
૧૫૯
વિમલનાથના આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મળે છે. ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં ૨૦૦૮માં પણ આ જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં વિમલનાથનું આ જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં ચાર આરસપ્રતિમા અને નવ ધાતુપ્રતિમા બિરાજમાન છે. જિનાલયની સ્થિતિ સારી હતી.
આજે આ જિનાલયમાં ચાર આરસપ્રતિમા અને આઠ ધાતુપ્રતિમા બિરાજમાન છે. વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી રાજેન્દ્રભાઈ બચુભાઈ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં૰ ૧૯૫૯ પૂર્વેનું છે. મૂળનાયકની પ્રતિમા પ્રાચીન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org