________________
૧૫૭
પાટણનાં જિનાલયો
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સંઘવીના પાડામાં મનમોહન પાર્શ્વનાથ તથા વિમલનાથના જિનાલયોનો ઉલ્લેખ શિખર વિનાનું એ મુજબ થયેલો છે.
સં. ૨૦૦૮માં તથા સં૨૦૧૮માં સંઘવીના પાડામાં વિમલનાથ તથા મનમોહન પાર્શ્વનાથનાં જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે.
આજે પણ સંઘવીના પાડામાં ઉપર્યુક્ત બે જિનાલયો વિદ્યમાન છે.
સંઘવીની પોળ
મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૬૪૮ પૂર્વે) સંઘવીની પોળમાં પ્રવેશતાં આપણી જમણી બાજુએ શ્રી મનમોહન પાર્શ્વનાથનું ધાબાબંધી જિનાલય આવેલું છે. તે ખૂબ જ સાદું અને નાનું છે.
રંગમંડપમાં પ્રવેશતાં જમણી દીવાલે શત્રુંજયનો પથ્થરમાં ચિત્રિત રંગીન પટ છે. છતમાં સુંદર રંગકામ છે.
ત્રણ સાદા ગર્ભદ્વાર છે. ગભારામાં મનમોહન પાર્શ્વનાથની ૧૩” ઊંચાઈ ધરાવતી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં આરસપ્રતિમા કુલ ચાર છે જે પૈકી ડાબે ગભારે એક ચૌમુખજી છે અને જમણે ગભારે ૩૧” ઊંચાઈ ધરાવતી, સંપ્રતિ મહારાજના સમયની આદેશ્વરની પ્રતિમા બિરાજમાન છે. ધાતુપ્રતિમા કુલ વીસ છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. તે સમયે આ વિસ્તાર માલૂ સંઘવીનો પાડો નામથી પ્રચલિત હતો અને તેમાં મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ પાર્શ્વનાથ તરીકે થયેલો છે. સં. ૧૭૭૭માં લાધાશાહે ઉલ્લાસપૂર્વક આ જિનાલયનાં દર્શન કર્યા હતાં. સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં સાત આરસપ્રતિમા અને ઓગણત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૦૮માં તથા સં. ૨૦૧૮માં પણ આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
આજે જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં રહેતા શ્રી ચંપકલાલ વાડીલાલ શાહ, શ્રી રાજેન્દ્રભાઈ બચુભાઈ શાહ તથા શ્રી રસિકલાલ જેઠાલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૬૪૮ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org