________________
|૭ll
૧૫૬
પાટણનાં જિનાલયો આવ્યો છે. તે વિસ્તાર મોહન પાર્શ્વનાથના એક જિનાલય ઉપરાંત અન્ય બે ઘરદેરાસરો – સુમતિનાથ (હેમરાજના ઘરે) અને વિમલનાથ (રાજધર સંઘવીના ઘરે) – દર્શાવવામાં આવ્યાં છે.
મોહન પાસ જુહારીજી, માલૂ સંઘવી હામિ. છવીસ પડિમા વંદી કરી જી, કીજઇ જનમ સુકામ | રા. સુગુણનર ભેટ૬ શ્રી જિનરાય, હઈડલઈ ભાવ ધરી ઘણઉ જી. આંચલી હેમરાજ દેહરાસરિ ભણું જી, સુમતિ જિPસર દેવ. ઈક પડિમા વલી તિહાં અછાં જી, ત્રિભુવન સારાં સેવ કી સુ. રાજધર સંઘવી ઘરિ કુણું જી, વિમલ જિર્ણસરસ્વામી.
આરિ પ્રતિમાસ્ય સોહતી જી, જઈ લટકણ ઠામિ ||૪ સુ. સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સંઘવીની પોળમાં પાર્શ્વનાથના ભગવાનના માત્ર એક જ જિનાલયનો ઉલ્લેખ આવે છે :
સંઘવીપોલે પાસ જગદિસ, પ્રતિમા એકસો ઓગણત્રીસ. પૂરઈ મનહ જગીસ તો છે જયો જયો પીતલમે દોય બિબ વિસાલ, પ્રતિમા તેહની અતિસુકમાલ, દીસે ઝાકઝમાલ તો // જયો જયો
//૮ ઉપર્યુક્ત પંક્તિઓમાં પાર્શ્વનાથના જિનાલયમાં પિત્તળની બે પ્રતિભાઓનો ઉલ્લેખ છે.
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સંઘવીની પોળમાં ૧. મનમોહન પાર્શ્વનાથ, ૨. આદેશ્વર, ૩. પાર્શ્વનાથ (ઘરદેરાસર) અને સુપાર્શ્વનાથ (ઘરદેરાસર) એમ કુલ ચાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે :
પોલે સંઘવીનીયે ભેટીયા રે, મૂરતિ મોહન પાસ, પ્રાસાદમેં પ્રભુ ભેટીયા રે, અણી મન ઓલાસ. ૭ સો. દેહરે શ્રી આદિનાથ રે, નબિ બેઠા જિનરાજ, દેહરાસરમેં ભેટીયા રે, જિનજી ગરીબનિવાજ. ૮ સો. ધાતુમય જિનરાજનાં રે, બિંબ અનોપમ દોય,
પાસ સુપાસ વિરાજતા રે, દેહરાસર માંહિ જોય. ૯ સો સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મનમોહન પાર્શ્વનાથ તથા વિમલનાથ એમ કુલ બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે :
............., કિલ સંઘશાખપાડે સ્થિતી, મન્મોહાભિધપાર્શ્વનાથ - વિમલી નૈર્મલ્યદાન ક્ષમૌ ૨૮ાા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org