________________
૧૫૪
પાટણનાં જિનાલયો
વાસુપૂજ્યની શેરી, ફોફલિયાવાડા પાસે
વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૯૩૭) વાસુપૂજયની ખડકી, ફોફલિયાવાડી વિસ્તારમાં શ્રી વાસુપૂજયસ્વામીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
પ્રથમ મુખ્ય પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતાં, બહારના ભાગમાં આજુબાજુના બે દ્વારપાળ નજરે પડે છે. તેની બાજુમાં અગાઉ જ્યાં પાર્શ્વયક્ષનું સ્થાન હતું ત્યાં ભીંત પર પાર્શ્વયક્ષ ચિત્રિત કરેલા છે. દેરાસરને ફરતે કંપાઉંડ અને કોટની રચના છે. કંપાઉંડમાં બે જગ્યાએથી ચડી શકાય તેવાં આરસના પગથિયાં છે. અહીં આરસની દીવાલો પરનું ચિત્રકામ અને શિલ્પકામ મનને મોહિત કરે છે. કંપાઉંડમાંથી આખા જિનાલયની પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. પ્રવેશચોકીના થાંભલાઓ પર દ્વારપાળ તથા તેઓની પાછળ થાંભલાને ફરતે યક્ષ-યક્ષિણી તથા દેવીઓનાં શિલ્પોની રચના છે. ગૂઢમંડપના થાંભલાઓને જોડતી મગરમુખી કમાનોનું રંગકામ સુંદર છે. ધાબાની દીવાલ પર કળા કરતાં મયૂર જિનાલયની સુંદરતામાં વધારો કરે છે.
અહીં રંગમંડપમાં પ્રવેશવાનો એક પ્રવેશદ્વાર છે. આજુબાજુ જાળીવાળી બારીઓ છે. તેની નીચેની દીવાલે દોડતા હાથી પર મહાવતનું ચિત્રકામ છે. રંગમંડપમાં પ્રવેશવાના દ્વાર પર અષ્ટમંગલની કોતરણી છે. રંગમંડપ સાદો, સુંદર અને સ્વચ્છ છે. અહીં જમણી બાજુ ગભારા પાસે સમેતશિખર તથા ડાબી બાજુ શત્રુંજયના પટ છે.
ગર્ભદ્વાર ત્રણ છે. ગભારામાં ૧૩" ઊંચાઈ ધરાવતી શ્રી વાસુપૂજ્યની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમાની પાછળની દીવાલે ચાંદીનું કોતરણીયુક્ત પતરું કાચમાં જડેલું છે. જમણે ગભારે આદેશ્વર તથા ડાબે ગભારે મહાવીરસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. અત્રે શ્રી વિનયચંદ્રસૂરિની આરસની એક ગુરુમૂર્તિ છે. ગભારામાં કુલ પાંચ આરસપ્રતિમા છે જે પૈકી ત્રણ કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. તથા નવ ધાતુપ્રતિમા છે.
આ જિનાલયમાં આરસ પર કોતરેલો નાનો શિલાલેખ છે જેના પરથી સ્પષ્ટ જણાય છે કે આ જિનાલય સં. ૧૯૩૭ના સમયનું છે. શિલાલેખ નીચે મુજબ છે :
“શ્રી શારદાય નમઃ | સં. ૧૯૩૭ના માહા માસે શુક્લ પક્ષે ૧૧ બુધવાશરે ઉદિયતુ ઘટિ ૩ (ત્રણના અર્થમાં) પલ ૩૬ શ્રી વાસુપૂજ઼િ મારાજની પ્રતિષ્ઠાય આ નવા પ્રસાદને વિશે બિરાજા છે. આ પ્રસાદ વાશપૂજિનિ ખદકીવાલા હસ્તક થયું છે. આ પ્રાસાદનું ખાતમુરત સંવત ૧૯૩૨ના વઇશાક સુદ ૧૦ બુધના દિવસે કરૂ હતું. આ સરવે મુર્ત ગાંમ હુઝાના મોદિ જોતારામ મરદાસનાં આપેલાં તે આનંદથિ ઓછવનો લાવો મલો. આ પ્રસાદ સોમપુરા સલાટ લલુ મુલચંદ ઇટદેવ પ્રતાપથિ કામ કરૂ છે.”
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org