________________
પાટણનાં જિનાલયો
૧૫૩
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ઉપરાંત મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખમાં સં. ૧૬૬૪ સ્પષ્ટ વંચાય છે. તથા જમણે ગભારે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પરના લેખમાં પણ સં. ૧૬૬૪નો ઉલ્લેખ સ્પષ્ટ વાંચી શકાય છે.
સં. ૧૭૨માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ખજુરી મનમોહનપાસ, એકસો સતાવન શ્રી જિનપાસ.
વાંદું મન ઉલાસ તો // જયો જયો. તેના ત્યારબાદ સં૧૭૭૭માં પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલય જુહારી કવિ લાધાશાહ ધન્યતાનો અનુભવ કરે છે.
યજુરીપાડે અછે, મોહન પારસનાથ,
ભવ ભય ભાવઠ ભંજણો, પ્રણમુ જોડી હાથ. ૨ સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ખજૂરીના પાડામાં એક | જિનાલય વિદ્યમાન હોવાની નોંધ મળે છે :
ચાર દેવલ અતિ સુંદરું, ફોફલીપાડા માંહિ;
ખજૂરી પાડે વયજદકોટડી, એકેક ચૈત્ય છાહ. સં૯ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ ખજૂરીના પાડામાં મનમોહન પાર્શ્વનાથના આ જિનાલય વિશે નીચે મુજબ ઉલ્લેખ થયેલો છે :
ખજૂરી પાટકે ચામરગણમહિત મોહનપાર્શ્વનાથનું ભાભાપાડે નમામિ ત્રિજગદધિપતિ પૂજયભાભાખ્યપાર્વ, શાંત શ્રી શાંતિનાથં શમસુખસહિત લીંબડી પાટકે
ચ રલા સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મનમોહન પાર્શ્વનાથના આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં છ આરસપ્રતિમા અને એકત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત સં૧૯૬૩માં ખજૂરીના પાડામાં શા. વાડીલાલ હાકેમચંદ પરિવારનું એક ઘરદેરાસર પણ વિદ્યમાન હતું.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે જિનાલયમાં છ આરસપ્રતિમા અને ચોવીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી જે આજે પણ યથાવત છે. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ ગોકળદાસ સાંડેસરા હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી રવીન્દ્રભાઈ મોહનલાલ શાહ હસ્તક છે. ટૂંકમાં અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં. ૧૬૬૪ આસપાસના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org