________________
પાટણનાં જિનાલયો
૧૪૭
લીંબડી પાટકિ આવીઈ જી સારંગદાસી ગેહ I સુ. સપ્તફણામણિ પાસજી રે / બાર જિણેસર દેષિ ! રાયચંદ દોસી ઘરિ વલી જી . શાંતિ જિણેસર પેષિ /૧૦સુ. સોલ પ્રતિમા અવર અછઈ જી / રયણમયી પડિમા દોઈ / શાંતિ દેહરઈ હિવઈ આવીઇ જી ! સોલમ જિસેસર જોઇI૧૧ સુ. ચૌદ પ્રતિમા તિહાં વંદી જી . લીજઈ પૂજી લાહ !
નવઉ પ્રાસાદ સોહામણ૩ જી ! દીઠઉ મનનઈ છાહ ||૧૨| સુ. સં. ૧૯૪૮માં શાંતિનાથના આ જિનાલયને “નવઉ પ્રાસાદ સોહામણઉ' – એ મુજબ વર્ણવામાં આવેલ છે. એટલે કે આ જિનાલય તે સમયે જ નવું બંધાયેલું હશે.
ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં લીંબડીના પાડામાં શાંતિનાથના આ એક જ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે :
લીંબડીઈ શ્રી શાંતિ નિણંદ, ત્રણસે સાત તિહાં શ્રી જિનચંદ |
દિઠઈ અતિ આણંદ તો છે જયો જયો સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં લીંબડીની પોળમાં શાંતિનાથના જિનાલયમાં પોતાને દર્શનની નિત્ય ટેવ હોવાનું જણાવ્યું છે : પ્રાસાદ લીબડીની પોલે, સાંતિ જિનેશ્વર દેવ,
ભ. કવિ કહિએ મુઝ સાહબો, દરિસણની નિત્ય ટેવ ભ. ૧૪ પાઠ સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં લીંબડીના પાડામાં એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
કર્ણાસાની પોલમાં, સુંદર દેવલ દીઠ
ત્રિણ મનોહર એક વલી, લીબડી પાડે ગરીઠ સં. ૧૨ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં લીંબડીના પાડામાં શાંતિનાથનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે :
ભાભાપાડે નમામિ ત્રિજગદધિપતિ પૂજયભાભાખ્ય પાર્વ,
શાંત શ્રી શાંતિનાથે શમસુખસહિત લીંબડીપાટકે ચ રિલા સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શાંતિનાથનું આ જિનાલય શિખર વિનાનું હોવાનું દર્શાવ્યું છે. તે સમયે ચૌદ આરસપ્રતિમા અને પિસ્તાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત તે સમયે લીંબડીના પાડામાં બે ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. શાહ સ્વરૂપચંદ નાનચંદ અને ૨. શાહ છગનલાલ આલમચંદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org