________________
પાટણનાં જિનાલયો
૧૪૫ પર પૂતળીઓ, સિંહ, હાથી વગેરેનાં શિલ્પો છે.
રંગમંડપમાં પ્રવેશીએ એટલે જમણી બાજુએ આવેલા બે ગોખ પૈકી એકમાં માણીભદ્રવીર તથા અન્યમાં ગૌતમસ્વામીની મૂર્તિ છે. ગોખની ઉપર-નીચે દીવાલ પર સુંદર કાચકામ છે. શાંતિનાથના જિનાલયના રંગમંડપની પેઠે અહીં પણ પ્રત્યેક થાંભલે ઉપરથી નીચે સુધી અરીસા જડેલ છે અને અષ્ટકોણ બને છે તે સાચે જ, દર્શનીય છે. થાંભલાને જોડતી રંગીન કોતરણીવાળા તોરણો પણ નયનરમ્ય છે. છતમાં દાંડિયારાસ રમતી નારીઓનું ચિત્ર છે. રંગમંડપની એક દીવાલ સમેતશિખરનો કાષ્ઠનો રંગીન પટ છે, તેની નીચે અષ્ટાપદનો પટ છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૩) અને ઉપરની દીવાલે કાષ્ઠના તીર્થકર ભગવાનનાં ૧૬ શિલ્પો છે. તેમાં વાપરેલ સુવર્ણરંગ આ પટની શોભાને ચાર ચાંદ લગાવે છે. ૪૫૦ વર્ષ જૂનો આ પટ એ જૈન કાષ્ઠકલાનો ઉત્તમ નમૂનો છે અને આ પટ આ જિનાલયની વિશેષતા છે. કાગળમાં ઋષિમંડલ યંત્રનું ચિત્ર બનાવી, કાચમાં મઢી તેને અન્ય દીવાલ પર લગાવેલ છે. આ કાગળમાં છે તેવું જ અને તેટલું મોટું તાંબાનું યંત્ર બાજુના શાંતિનાથના જિનાલયમાં છે. વળી, સં. ૧૯૯૮માં મદ્રાસમાં વિજય મહેન્દ્રસૂરિના હસ્તે પ્રતિષ્ઠિત થયેલ વીસ સ્થાનકનું મોટું, તાંબાનું યંત્ર પણ અહીં છે.
ત્રણ ગર્ભદ્વાર પૈકી આજુબાજુના દ્વારની બારસાખ પર મયૂરાકૃતિ છે જ્યારે મુખ્ય દ્વારની બારસાખે સિંહાકૃતિ અને પૂતળી છે. ગભારામાં શ્રી શીતલનાથની ર૭'' ઊંચાઈવાળી પ્રતિમા બિરાજે છે. અહીં અન્ય અગિયાર આરસપ્રતિમા તથા સોળ ધાતુપ્રતિમા છે. ઉપરાંત પગલાંની એક જોડ છે. સ્ફટિકનું એક ખંડિત પરિકર પણ છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલય ઘણું પ્રાચીન છે. પાટણમાં ૧૬મા સૈકા દરમ્યાનનાં જિનાલયો અતિ અલ્પ સંખ્યામાં આજે વિદ્યમાન છે. તે પૈકીના આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ઉપલબ્ધ થાય છે. ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં૧૮૨૧માં ઉપાજ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં, સં. ૧૯૫૯માં પંહીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૭માં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો અલગ ઉલ્લેખ થયો નથી. સંભવ છે કે આ જિનાલયની બાજુમાં આવેલ સ્ફટિકના શાંતિનાથના જિનાલયની સાથે આ જિનાલયની ગણતરી કરવામાં આવી હોય.
ત્યારબાદ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કનાશાના પાડામાં આંબલીની શેરીમાં આવેલ આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે દસ આરસપ્રતિમા અને અગણોસિત્તેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org