________________
૧૪૪
પાટણનાં જિનાલયો
આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. જો કે તે સમયે સ્ફટિકની પ્રતિમાનો ઉલ્લેખ થયો નથી. પરંતુ સં. ૧૭૨૯માં તથા સં. ૧૭૭૭માં આ વિસ્તારમાં શાંતિનાથનું માત્ર એક જ જિનાલય વિદ્યમાન હતું. તેથી સં. ૧૭૨૯માં ઉલ્લેખ પામેલું શાંતિનાથનું જિનાલય તે આ જ જિનાલય હોઈ શકે.
ત્યારબાદ સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાંલા સ્તવનમાં આ વિસ્તારમાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. એટલે કે શીતલનાથનું એક જિનાલય તથા શાંતિનાથનાં બે જિનાલયો.
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં, સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ વિસ્તારમાં સ્ફટિકની પ્રતિભાવાળા મૂળનાયક શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે પંદર આરસપ્રતિમા તથા ચોરાણું ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત ચાર રત્નપ્રતિમાઓનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય કનાશાના પાડામાં આંબલીની શેરીમાં ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે ચાર આરસપ્રતિમા અને તેંતાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. તે સમયે પણ ચાર સ્ફટિકપ્રતિમાનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શાહ ગભરૂભાઈ ડાહ્યાભાઈ હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ કરાશાના પાડામાં રહેતા શ્રી બાબુભાઈ કેશવલાલ શાહ તથા તેમના પુત્ર શ્રી શરદકુમાર બાબુલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં. ૧૭૨૯ પૂર્વેનું છે.
આંબલીની શેરી, કનાશાનો પાડો
શીતલનાથ (સં. ૧૫૭૬ પૂર્વ) કરાશાનો પાડો નામના વિસ્તારમાં આવેલી આંબલીની શેરીમાં પ્રવેશતાં, ડાબી બાજુ અંદરના ભાગમાં શ્રી શીતલનાથનું ધાબાબંધી જિનાલય શ્રી શાંતિનાથના જિનાલયને અડોઅડ છે. બેઉ જિનાલયના અલગ પ્રવેશદ્વાર છે. અંદરના રંગમંડપમાંની કોમન દીવાલના દ્વારમાંથી એકમાંથી બીજા જિનાલયમાં સરળતાથી જઈ શકાય છે.
મુખ્ય પ્રવેશદ્વારની નીચે બે મોટા દ્વારપાળનાં શિલ્પો છે. જિનાલયની બહારની ઉપરની દીવાલની વચ્ચે ચોરસ આકારનો ઝરૂખો અને આજુબાજુ હાથી, પોપટ જેવી રચના સાથેની કોતરણી છે. દ્વારની આજુબાજુ રંગીન બારસાખવાળી બે બારીઓ છે. એક ગોખલામાં શ્રી શીતલનાથ ભગવાનનું ચિત્ર છે. પ્રવેશદ્વારના થાંભલાઓને જોડતાં સુંદર તોરણો છે અને થાંભલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org