________________
૧૪૨
મોટા દેરાસરની શેરી, કનાશાનો પાડો ચિંતામણિ પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૫૯)
કનાશાના પાડામાં આવેલ શાંતિનાથના મોટા દેરાસરની શેરીમાં છેક અંદર ખૂણાના ભાગમાં બાબુસાહેબ વિજયકુમાર ભગવાનલાલજીનું ઘરદેરાસર આવેલું છે.
પ્રવેશદ્વારની બારસાખે થોડી રંગીન કાષ્ઠકોતરણી છે. બહારની અને અંદરની દીવાલો પર રંગીન ટાઈલ્સ લગાવેલી છે. ઘરદેરાસરમાં બે બાજુ બે બારીઓ છે જેના પર રંગીન હાથીનાં શિલ્પો છે. અહીં પંદર ધાતુપ્રતિમા છે જે પૈકી ચિંતામણિ પાર્શ્વનાથની ૧૭' ઊંચાઈ ધરાવતી ધાતુપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે.
પાટણનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ
આ ઘરદેરાસરનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મળે છે. તે સમયે આ ઘરદેરાસર બાબુ પનાલાલનું ઘરદેરાસર તરીકે જાણીતું હતું. ત્યારે અહીં દસ ધાતુપ્રતિમા અને ત્રણ રત્નપ્રતિમા હતી. આ ઘરદેરાસરનો સમય તે સમયે સં૰ ૧૯૫૯નો દર્શાવવામાં આવેલો છે. સં. ૧૯૬૩માં પ્રગટ થયેલી જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સં ૧૯૫૯નો સમય દર્શાવવામાં આવ્યો છે. તેથી તે સમય ચોક્કસપણે પ્રમાણભૂત માની શકાય.
ત્યારબાદ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કનાશાના પાડામાં મોટા દેરાસરની શેરીમાં આ ઘરદેરાસરમાં તેર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. બાબુ પનાલાલ પૂનમચંદના પરિવારના આ ઘરદેરાસરની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
આજે આ ઘરદેરાસરનો વહીવટ કનાશાના પાડામાં રહેતા શરદભાઈ બાબુલાલ શાહ તથા મુંબઈનિવાસી નરેન્દ્રકુમાર વિજયકુમાર હસ્તક છે.
ટૂંકમાં આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૫૯નો છે.
Jain Education International
આંબલીની શેરી, કનાશાનો પાડો શાંતિનાથ (સં. ૧૭૨૯ પૂર્વે)
કનાશાનો પાડો નામના વિસ્તારમાં આંબલીની શેરીમાં શીતલનાથના જિનાલયની બાજુમાં, એને અડીને જ શ્રી શાંતિનાથનું જિનાલય આવેલું છે. બન્ને જિનાલયના પ્રવેશદ્વાર અગ અલગ છે. વચ્ચેની દીવાલ બન્ને વચ્ચે એક જ છે અને ત્યાં એક દ્વાર છે જેથી કરીને દર્શનાર્થી બહાર નીકળ્યા વિના જ એક જિનાલયના રંગમંડપમાંથી બીજા જિનાલયનમાં જઈ શકે છે. ષ્ટિ પડતાં જ, લોહચુંબકની જેમ ખેંચનાર ગોળ ઝરૂખામંડિત આ જિનાલય માત્ર બહારથી જ રમ્ય નથી, બલ્કે અંદરથી પણ સવિશેષ રમણીય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org