________________
પાટણનાં જિનાલયો
સં. ૧૯૬૭માં કનાશાના પાડામાં ચાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે ઃ ૧. શાંતિનાથ, ૨. શીતલનાથ, ૩. શાંતિનાથ, ૪. ચિંતામણિ પાર્શ્વનાથ (બાબુ પનાલાલના ઘરે).
સં. ૧૯૬૩-૬૭ દરમ્યાન ત્રણ જિનાલયો તથા અગિયાર ઘરદેરાસરો વિદ્યમાન હોવાના ઉલ્લેખો આ વિસ્તાર પાટણમાં જૈન શાસનનું એક મહત્વનું કેન્દ્ર બન્યો હોવાનું સૂચવે છે.
૧૩૯
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નાશાના પાડામાં નીચે મુજબ જિનાલયો વિદ્યમાન હતાં. ૧. શાંતિનાથ, ૨. શીતલનાથ, ૩. શાંતિનાથ-મહાવીરસ્વામી-આદેશ્વરનું સંયુક્ત જિનાલય, ૪. ચિંતામણિ પાર્શ્વનાથ (બાબુ પનાલાલનું ઘરદેરાસર), ૭. શાંતિનાથ (શાહ સરૂપચંદ ઘેલુચંદનું ઘરદેરાસર), ૬. સુવિધિનાથ (લક્ષ્મીચંદ મલુકચંદનું ઘરદેરાસર), ૮. વિમલનાથ (શાહ મગનલાલ ભુરાચંદનું ઘરદેરાસર) અને ૯. શાંતિનાથ (શાહ ભોગીલાલ કરમચંદનું ઘરદેરાસર).
ઉપર્યુક્ત જિનાલયો પૈકી શાંતિનાથ તથા શીતલનાથનું જિનાલય કનાશાના પાડામાં આંબલીની શેરીમાં દર્શાવ્યું છે. અન્ય જિનાલયોનો ઉલ્લેખ કનાશાનો પાડામાં મોટા દેરાસરની શેરીમાં થયેલો છે.
આજે કનાશાના પાડામાં આંબલીની શેરીમાં શાંતિનાથ તથા શીતલનાથનાં જિનાલયો તથા મોટા દેરાસરની શેરીમાં શાંતિનાથનું જિનાલય અને ચિંતામણિ પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
કનાશાનો પાડો શાંતિનાથ (સં. ૧૮૨૧ પૂર્વે)
Jain Education International
કનાશાના પાડામાં પ્રવેશતાં જ જમણી બાજુએ એક ભવ્ય, ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. શાંતિનાથના મોટા દેરાસર તરીકે તે ઓળખાય છે અને તેથી શેરીનું નામ પણ મોટા દેરાસરની શેરી પડ્યું છે. જિનાલયનો બાહ્ય દેખાવ જ તેની પુરાણી જાહોજલાલી અને ભવ્યતાની ચાડી ખાય છે. જિનાલયનું પ્રવેશદ્વાર વર્ષો પૂર્વે જે ઉપયોગમાં લેવાતું હતું તે હવે વપરાશમાં નથી. આ દ્વારની આજુબાજુ સુંદર શિલ્પો છે. બે બાજુ બે યક્ષો, તેની ફરતે છ દેવીઓ અને તેની ઉપર બે બાજુ મોર અને છત ઉપર અષ્ટકોણીય, નાનકડો, સુંદર ઝરૂખો અને તેના પરનું પૂતળીઓ, પાન, ફૂલ, વેલ અને ફળનું સુભોશન મનોહર છે. ઝરૂખાની બન્ને બાજુ થાંભલા પર દ્વારપાળ તથા હથિયારધારી ચોકીદારનાં શિલ્પો છે. થાંભલાને જોડતું મગરમુખી તોરણ છે. ઉપર ફરતે થાંભલાવાળી પાળી છે જેના ૫૨ દ્વારપાળનું અને છેલ્લા બે થાંભલા પર સિંહનું શિલ્પ છે. જુઓ ફોટોગ્રાફ નં ૨૧ અને ૨૨)
હાલ જિનાલયમાં પોળની જમણી બાજુએથી પ્રવેશી શકાય છે. પ્રવેશદ્વારેથી જિનાલય
For Personal & Private Use Only
www.jainelibrary.org