________________
૧૩૮
પાટણનાં જિનાલયો
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કરણે એવા ટૂંકા નામ સાથે બે જિનાલયો તથા એક ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે :
કરણે શીતલજિન જયકારી, પ્રતિમા સત નવસો તિહાં સારી ! જનમન મોહનગારી તો // જયો જયો
| ૪ો. બિંબ સતરસુ શાંતિ સોહાવે, બીજે દેહરે મુજ મન ભાવે ! દરિસણથી દુખ જાય તો || જયો જયો દેહરાસર તિહાં દેહરા સરખું, પાંત્રીસ પ્રતિમા તિહાંકણ નિરખું ! દેખી મુઝ મન હરખું તો // જયો જયો
//// સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈિત્યપરિપાટીમાં શીતલનાથ તથા શાંતિનાથ એમ બે જિનાલયો વિદ્યમાન હતાં :
પોલે કરણાસાહને, સીતલ જિન સુખકાર,
બીજે સાંતિ સોહામણાં, બિંબ રતનમય સાર. ભવિ. ૧૩ પા સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત શ્રી તીર્થમાલા સ્તવનમાં કર્ણાસાની પોળમાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
કર્ણાસાની પોલમાં, સુંદર દેવલ દીઠ;
ત્રિણ મનોહર એક વલી, લીંબડી પાડે ગરીઠ સં. ૧૨ સં. ૧૯૫૯માં પંડિત હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ કરાશાના પાડામાં કુલ છ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
પ્રાસાદે નિર્જરેશાલયનિભકલકાંતૌ કનાશાહપાડે, નાના ચિત્રવિંચિત્રહતજનહૃદયે કલ્પસૌંદર્યકલ્પ તીર્થેશ શાંતિનાથં સ્ફટિકમણિમય દિવ્યકાંત્યા સનાથે, વંદે શ્રી શીતલાવં ત્વહમદમિયાહ જિન દેવસેવ્યમ્ ૧૩ના તત્રવાહમય પ્રણૌમિ જિનપં શ્રી શાંતિનાથાભિધે, પ્રૌઢે જૈનનિકેતને સ્થિતિમાં દેવેશસંપૂજિતમ્ | પાર્વે તસ્ય નમામિ નાભિતનય સંસારસંહારક,
શ્રી વીરં ચ નમામિ ભક્તિભરતઃ કર્માન્નિધારાધરમ્ |૩૧ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કરાશાના પાડામાં કુલ દસ ઘરદેરાસરો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે : ૧. શા. નવલચંદ રતનચંદ, ૨. શા. ચુનીલાલ માનચંદ, ૩. શા. રતનચંદ જેઠાચંદ, ૪. શા. ન્યાલચંદ બહેરવદાસ, ૫. શા. ગહેલુચંદ રામચંદ, ૬. શાળ નગીનદાસ લખમીચંદ, ૭. શા. ડાહ્યાચંદ જેઠા, ૮. શા. ભૂરા વખતચંદ, ૯. શા. નાનચંદ મણિલાલ અને ૧૦. પટવા દોલશા મગન.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org