SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પાટણનાં જિનાલયો બામણવાડામાં, સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખેતલવસીનો પાડો વિસ્તારમાં, સં. ૧૯૬૭માં, સં. ૧૯૮૨માં, સં. ૨૦૦૮માં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં બ્રાહ્મણવાડા વિસ્તારમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખેતરવસીના પાડામાં શાંતિનાથના કુલ બે જિનાલયો હતાં. બન્ને જિનાલયો ધાબાબંધી દર્શાવેલા છે. શાંતિનાથના એક જિનાલયમાં ચાર આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલય બંધાયાની સં. ૧૮૫૬ દર્શાવેલી છે. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી છે. તથા શાંતિનાથના અન્ય જિનાલયમાં સોળ આરસપ્રતિમા તથા પંચાવન ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં બ્રાહ્મણવાડા વિસ્તારમાં આવેલું શાંતિનાથનું આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું હતું. જિનાલયમાં ચાર આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી હતી. તથા સાત તોરણવાળું જિનાલય તેવી નોંધ કરવામાં આવી હતી. જિનાલય સાત તોરણવાળું જિનાલય તરીકે પ્રચલિત છે. આજે જિનાલયમાં કુલ સાત આરસપ્રતિમા તથા અગિયાર ધાતુપ્રતિમા છે. જિનાલયનો વહીવટ મુંબઈસ્થિત શ્રી વિનોદચંદ્ર હરીલાલ ઝવેરી, શ્રી રતીલાલ અંબાલાલ શાહ તથા શાંતિનાથની પોળમાં રહેતા શ્રી રમણિકભાઈ ત્રિકમલાલ શાહ હસ્તક છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં. ૧૮૨૧ પૂર્વેના સમયનું છે. સં. ૧૯૪૮ પૂર્વેનો સમય નક્કી કરવા માટે વધુ સંશોધન તથા પુરાવાઓની જરૂર છે. કનાશાનો પાડો કનાશાનો પાડો વિસ્તાર પ્રાચીન સમયથી પ્રચલિત છે. પૂર્વે આ વિસ્તાર સાહકરણાનો પાડો, કરણાસાહાનો પાડો, કરણાનો પાડો, કરણાસાહની પોળ, કનાશાહનો પાડો એવા નામના થોડા ફેરફાર સાથે ઓળખાતો. આજે તે કનાણાનો પાડો એવા નામથી પ્રચલિત છે. સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં શીતલનાથનું એક જિનાલય સાહકરણાના પાડામાં વિદ્યમાન હતું : પાડઈ સાતકરણા તણાં એ, સીતલનાથ જુહરિ ત, અતિ મૂરતિ રેલીયામણી એ, હરષ ન હોયડ માઈ ત. સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં શીતલનાથનું જિનાલય ઉપરાંત બે ઘરદેરાસરો – સંભવનાથ (સાહા મનજીના ઘરે), સુમતિનાથ (શેઠ પાતાના ઘરે) – એમ કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ મળે છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy