SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પાટણનાં જિનાલયો પાર્શ્વનાથ (મહાદેવાની શેરી), ૩. વિમલનાથ (સંઘવીના ઘરે) (સંઘવીની શેરી), ૪. શાંતિનાથ (સિદ્ધચક્રની પોળ, બ્રાહ્મણવાડો), ૫. શામળા પાર્શ્વનાથ, આદેશ્વર, આદેશ્વર, અજિતનાથનું સંયુક્ત જિનાલય (શામળાજીની શેરી) – એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન છે. ગાંધી શેરી, ખેતરવસી શાંતિનાથ (સં. ૧૭૭૭ પૂર્વે) ખેતરવસી વિસ્તારમાં જમણી બાજુની ગાંધીની શેરી પૂર્વે પોળની શેરી તરીકે પ્રચલિત હતી. તેમાં શાંતિનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સ્થાનિક લોકો આને સો વર્ષ પહેલાંનું ગણે છે. પ્રવેશદ્વારે બે હાથીની વચ્ચે શિખર જેવું બનાવી તેમાં નાની પ્રતિમાના શિલ્પો ગોઠવીને કરેલી રચના છે. પ્રવેશદ્વારના કોતરણીયુક્ત સ્થંભ પર સિંહાકૃતિ અને મગરમુખી તોરણ છે. રંગમંડપ નાનો છે. થાંભલાને જોડતાં તોરણો છે. રંગમંડપની જમણી દીવાલ ઉપર બત્રીસ વિજયાના ૧૬૦ કલ્યાણકોનો પટ તથા પાંચ ભરતક્ષેત્રના ચોવીસ એમ ૧૨૦ તીર્થકરોનો પટ ચીતરેલ છે. ડાબી બાજુ ચાર શાશ્વતા, વીસ વિહરમાન અને સિદ્ધશિલા દર્શાવતો સં. ૧૯૬૦માં ચિત્રિત થયેલો પટ ઉપરાંત ત્રણેય ચોવીસીના તીર્થકરો અને શત્રુંજયનો પટ છે. અહીં ત્રણ ગર્ભદ્વાર છે. મૂળનાયક તરીકે શાંતિનાથની ૨૩” ઊંચાઈની પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાના મુખનો રંગ રતાશ પડતો પીળો છે. બાકીનો ભાગ શ્વેત છે. પ્રતિમા અલૌકિક તેજસંપન્ન છે. ડાબા ગભારે શાંતિનાથ તથા જમણા ગભારે મહાવીરસ્વામી બિરાજમાન છે. અહીં કુલ સાત આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગ્ગિયા છે. ઉપરાંત આરસની એક સાધુ મૂર્તિ છે. કુલ તેત્રીસ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ ખેતરવસીમાં શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક મળે છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખેતરવસીના પાડામાં શાંતિનાથના કુલ બે જિનાલયો હતાં. બન્ને જિનાલયો ધાબાબંધી દર્શાવેલા છે. શાંતિનાથના એક જિનાલયમાં ચાર આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલય બંધાયાની સં. ૧૮૫૬ દર્શાવેલી છે. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી છે. તથા શાંતિનાથના અન્ય જિનાલયમાં સોળ આરસપ્રતિમા તથા પંચાવન ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ખેતરવસીમાં આવેલી ગાંધી શેરીમાં શાંતિનાથના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy