________________
પાટણનાં જિનાલયો
૧૨૫
જિનાલયો જુહાર્યાની નોંધ કરે છે :
ખેતલવસહી દોય પ્રાસાદે, પાસ જિણેસર ભેટ્યા ! સાંમલા પાસની સુંદર મૂરતિ, દેખત સબ દુઃખ મેટ્યા રે ભવિયાં ભાવે જિનવર વંદો ! શ્રી જિનવરને વંદન કરતાં, હોવે અતિ આણંદો રે {ભરી ત્રણસે અઠોત્તર જિનપ્રતિમા, સામલપાસની પાસે . શ્રી મહાવીર પાસે વ્યાસી જિનવરસું, વંદો મન ઉલ્લાસે રાભllall દેહરાસર તિહાં દોય અનોપમ, રૂપ સોવનમય કામ |
સોવન રૂપ રયણમે પ્રતિમા, દીસે અતિ અભિરામ રે /ભoll૪. સં. ૧૮૨૧માં ઉપાજ્ઞાનસાગરગણિ કૃત તીર્થમાલા સ્તવનમાં બાંભણવાડામાં એક જિનાલય તથા ખેતલવસહીમાં પાર્શ્વનાથ અને અન્ય બે જિનાલયોનાં દર્શન કરે છે :
ભામેં પાડે ભાભો પાસજી, સંઘવીનો તિહાઇં; જિનમંદિર દુગ શોભતાં, એક બાંભણવાડો જયાં. સં. ૧૦ ખેતલવસહી પાસજી, પાસે દહેરાં દોય; અડુવસાનેં દહેરે, ધાતુમેં પ્રભુ જોય.
સં. ૧૧ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં થયેલા ઉલ્લેખ મુજબ આ વિસ્તારમાં પાંચ જિનાલયો વિદ્યમાન હતાં : ૧. મહાદેવાપાર્શ્વનાથ, ૨. શાંતિનાથ, ૩. આદેશ્વર, ૪. શામળા પાર્શ્વનાથ અને પ. અજિતનાથ.
સંસારાપારનારાંનિધિગતજનતાતારણે યાનપાત્રમ્ ૩રા ભજ્યાહં ક્ષેત્રવસ્યાં જિનપતિમભિતઃ શ્રી મહાદેવપાર્શ્વ, શાંતિ સંદેશચૈત્યં પ્રથમ જિનવરં શામલાખ્યું ચ પાર્થમ્ | સંસારસંભોધિયાનું ત્વજિત જિનપતિ નૌમિ યોગીન્દ્રનાથે,
ક્રોધાદ્રિપૌઢવૈરિપ્રકરવિદલને શૂરવીરાવર્તસમ્ l૩૩ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ચાર જિનાલયો તથા ત્રણ ઘરદેરાસરોની નોંધ આવે છે. ૧. મહાદેવા પાર્શ્વનાથ, ૨. શામળા પાર્શ્વનાથ, અજિતનાથ, આદેશ્વરનું સંયુક્ત જિનાલય, ૩. શાંતિનાથ, ૪. આદેશ્વર (શા નથમલજીના ઘરે), પ. આદેશ્વર (ઉમેદચંદ મોતીચંદના ઘરે), ૬. વિમલનાથ (સંઘવીના ઘરે) અને ૭. શાંતિનાથ. તે પૈકી શા નથમલજીનું આદેશ્વરનું ઘરદેરાસર આજે શામળા પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે.
આજે ખેતરવસીમાં ૧. શાંતિનાથ (ગાંધી શેરી અથવા પોળની શેરી), ૨. મહાદેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org