________________
પાટણનાં જિનાલયો
આ જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવેલું છે. ત્યારે અગિયાર આરસપ્રતિમા અને સતાવન ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ જેસીંગલાલ ભગવાનદાસ ઝવેરી હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ મુંબઈસ્થિત શ્રી વિનોદચંદ્ર હરીલાલ ઝવેરી, શ્રી રતીલાલ અંબાલાલ શાહ તથા શાંતિનાથની પોળમાં રહેતા શ્રી રમણિકભાઈ ત્રિકમલાલ શાહ હસ્તક છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૭૭૭ પૂર્વેનું છે.
સંઘવીની શેરી, ખેતરવસી
વિમલનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૬૩ પૂર્વે)
ખેતરવસી વિસ્તારમાં સંઘવીની શેરીમાં શ્રી વિમલનાથનું ધાબાબંધી ઘરદેરાસર આવેલું છે. તે જેસીંગભાઈ ડાહ્યાભાઈ સંઘવીનાં ઘરદેરાસર તરીકે જાણીતું છે.
૧૨૭
ગર્ભગૃહની બારસાખ રાતા આરસની અને કોતરણીયુક્ત છે. તેની ઉપરના ભાગે પણ રંગીન કોતરણી છે. ઘરદેરાસરની દીવાલે શત્રુંજય મહાતીર્થનો પટ ચિત્રિત કરેલ છે.
અહીં ધાતુપ્રતિમા કુલ પાંચ છે. ૩” ઊંચાઈવાળી મૂળનાયક શ્રી વિમલનાથની પ્રતિમા પર નીચે પ્રમાણેનો લેખ છે :
“સંવત ૧૫૩૨ વૈશાખસુદિ ૧૦ શુક્રે શ્રી શ્રી વંશે શ્રી ડુંગર ભાર્યા હીરાદેપુત્ર શ્રે વીરમ સુ શ્રી ચક્રણ ભાર્યા રાણી ભાતૃ સારંગ પુત્ર શ્રે કડુવાસહિતેન સ્વશ્રેયાર્થે શ્રી અચલગચ્છેશ શ્રી જયકેસરીસૂરિણામુપદેશેન શ્રી વિમલનાથ બિંબં કારિત પ્રતિષ્ઠિત સંઘેન લોલાડા ગ્રામે’
(લોલાડા શંખેશ્વર પાસે આવેલું ગામ છે.)
ઘરદેરાસરની મુલાકાત વખતે સંઘવી પરિવારના સભ્યો સ્થળ પર હાજર હતા અને તેઓએ આ દેરાસર વિશે નીચેની વાતો જણાવી હતી :
“સંઘવીની શેરીનું શ્રી મહાદેવા પાર્શ્વનાથનું મોટું જિનાલય વર્ષો પૂર્વે તેમના જ કુટુંબનું હતું. પરિવારના સભ્યો અન્ય સ્થળે વસ્યા અને વહીવટ મહોલ્લાને સોંપી દેવાયો. આ વહીવટ સોંપાયો તે વખતે જ તેઓએ આ ઘરદેરાસરનું નિર્માણ કર્યું. શ્રી મહાદેવા પાર્શ્વનાથના જિનાલયની ચાર પ્રતિમાઓ તથા એક સિદ્ધચક્ર યંત્રને આ ઘરદેરાસરમાં આણી, પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આશરે સો વર્ષ પૂર્વેની આ વાત છે. મૂળનાયક શ્રી વિમલનાથ આમાંના
એક છે.”
અન્ય વાત એ જણાવી કે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org