SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૧૨૩ વલભીગચ્છ-નાડોલગચ્છના આચાર્ય શ્રી પુણ્યતિલકના હાથે ભટ પાર્શ્વનાથના મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને ખેતલવસહીની સ્થાપના કરી.” ચૈત્યપરિપાટીઓમાં આ વિસ્તારનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. તે સમયે આ વિસ્તારમાં શામળા પાર્શ્વનાથનું એક જિનાલય વિદ્યમાન હતું. અતિ મૂરતિ રેલીયામણીએ, હરષ ન હોયડ માઈ ત, સામલઈ દીઠઈ રતિ ઘણીએ, જેતલવસહી થાઈ ત. ૨૫ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેતલવસહીમાં ત્રણ જિનાલયો તથા છ ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. ૧. વાસુપૂજ્ય સ્વામી, ૨. શાંતિનાથ, ૩. પાર્શ્વનાથ, ૪. આદેશ્વર (સંઘ પારેખના ઘરે), ૫. તીર્થકર નામ નથી (પારેખ નાથાના ઘરે), ૬. અજિતનાથ (સઠ લકાના ઘરે), ૭. વાસુપૂજયસ્વામી (વોરા વછાના ઘરે), ૮. વિમલનાથ (સેઠ અમીપાલના ઘરે) અને ૯. ચંદ્રપ્રભુસ્વામી (પારેષ ઉદિકરણના ઘરે). તિહાં થી ખેતલવસહી, કરસું પઇસતન સહી, પ્રતિમા આઠ પ્રકાસ, વાસિપુજુ એ પાસ. સંઘા પારષિ ઘરિ ધિન્ન, દેહરાસુર આદિ જિન, પ્રતિમા ચ્યાર સુચંગ, ફૂલ ગુલાલ સુ રંગ. રયણમાં જિનવર આર, ચુમુખ પૂજીઇ સાર, પારષિ નાથાના ઘરમાં, ચુમુખસું આઠ પ્રતિમા. બીજઈ દેહરઇ શાંતિ, ભાજઇ ભવની ભ્રાંતિ, ઋાર પ્રતિમા ગુણ ગાશું, ત્રીજે દેહરઈ જાસું. તિહાં અછાં પાસ કુમાર, બિંબ પાંચ જિન સાર, અજિતનાથ જિન બીજઓ, સેઠ લકા ઘરિ પૂજઉ . ૭૦ ત્રિણિ પ્રતિમા તિહાં મનોહર, વહુરા વછા ઘરિ સુંદર, વાસપૂજ્ય જિન જાણી, ચ્યાર પ્રતિમા મનિ આણી. વિમલ જિસેસર પ્રતિમા, સેઠ અમીપાલ ઘરમાં, નવૂ દેહરાસુર સાર, પ્રતિમા આઠ ઊદાર. ઘરિ પારષિ ઉદિકરણ, ચંદપ્રભ ચંદકિરણ, દેહરાસુર મન મોહઈ, ત્રીજી ભુઇ જિન સોહઈ. ૭૩ રત્નમય બિંબનઇ કલસ, સદફકારી કામ સરસ, ત્રણ પ્રતિમા તિહાં ભાવી, લટકણ સાહા પાડઈ આવી. ૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy