SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પાટણનાં જિનાલયો ઉપર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવી અંકિત કરેલ છે. ગભારામાં મૂળનાયક સાથે એકવીસ ધાતુપ્રતિમા છે. બે આરસપ્રતિમા છે. સ્ફટિકની એક પ્રતિમા અને સ્ફટિકના નાના ચૌમુખજી છે. મૂળનાયકની ડાબી બાજુ આદેશ્વર તથા જમણી બાજુ શાંતિનાથની આરસપ્રતિમા બિરાજે છે. મૂળનાયક શ્રી શાંતિનાથ પરિકરયુક્ત અને સપ્તધાતુના બનેલા છે. પ્રતિમાની ઊંચાઈ ૨૫” છે અને તે કુમારપાળ રાજાના સમયની હોવાનું મનાય છે. પ્રતિમા પર નીચે પ્રમાણેનો લેખ છે : ડાબી બાજુ : (૧) ભલે મીંડું ! અહં નમઃ | તતાડભવત્કટ્ટ મરાજસુઉહ (૨) ઘેઃ પ્રણેતા | દુર્વાદિમેદશ્ચિમદસ્યલત્તા / ૧ શ્રી શ્રી (૩) પ્રહણેનલેષાં કેષાંન દલ્લો રે દુરિતાનિ સા.. તપઃ (૪) ૨ સૂરિ પાદાઃ II ૨ શ્રી મને મેરુજયંતાદ્રી ઇંગે પ્રાભ... (૫) સજ્જન બોધયિત્વા નવ્ય દિવ્ય કારયામાસુરીશુ.... (૬) સંપ્રાપયેત | હુર્યથીરજલાનલાદિવિપદ: ૩ (૭) ...... જમણી બાજુ : (૧) પદ્મઃ | અકાર્યોના રૂવિવાર હેતુ (૨) વૈશાષ સુદી ૬ બુધ શ્રીમદણહલ્લપુર (૩) પદ્મદેવસૂરિ તત્પટું શ્રીમાતદેવસૂરિ તત્પટ્ટ (૪) શ્રી ગુણદેવસૂરિ તત્પષ્ટ શ્રી વિજયદેવસૂરિત (૫) દેવસૂરિ તત્પટ્ટાલંકાર શ્રી રત્નદેવસૂરિણાં પૂર્વ (૬) ૩ય મહાભદ્ર પ્રસાદે સપ્તધાતુમયમ્ શ્રી નેમિનાથ (૭) બિલ્બ કારિત પ્રતિષ્ઠિત કલ્યાણમસ્તુ મૂળનાયકનું પરિકર સં. ૨૦૧૧માં બનાવવામાં આવ્યું હોવાનો લેખ નીચે પ્રમાણે છે : “વીર સંવત ૨૪૮૧ દિવસે વિસં. ૨૦૧૧ જેઠ સુદિ ૨ સોમવારે શ્રી અણહિલપુરપત્તને શાંતિનાથ પોળ સંઘેન શાંતિનાથ જિન પરિકર કારાપિત પ્રતિષ્ઠિત આ. શ્રી વિજયવલ્લભસૂરિ......” પરિકરની ડાબી બાજુ પણ આ જ પ્રમાણે લખાણ છે. ત્યારપછી આગળ “આ. શ્રી વિ....... સૂરિભિ” વંચાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy