SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૧૧૯ અચિરાદેવિ તપુત્ર શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શાંતિનાથસ્ય બિંબ કારિત સેવક વછા સાફ કર્મક્ષયાર્થ શ્રેયસેતુ વિધિના પ્રતિષ્ઠિતમ્ !” અહીં મૂળનાયક સાથે આઠ ધાતુપ્રતિમા છે જે પૈકી એક ચૌમુખજી છે. બે ધાતુની યક્ષમૂર્તિ તથા એક આરસની યક્ષમૂર્તિ છે. એક જોડ પગલાં આરસનાં છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સૌ પ્રથમ વાર આ ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે. તે સમયે શા. કાળીદાસ દૌલતચંદના નામ સાથે આ ઘરદેરાસરનો ઉલ્લેખ દસાવાડામાં મળે છે. ત્યારે અગિયાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ત્યારબાદ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વસાવાડામાં વિઠ્ઠલદાસ કાળીદાસ પરિવારના શાંતિનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે. તે સમયે અહીં એક આરસપ્રતિમા અને અગિયાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી અને ઘરદેરાસરની સ્થિતિ સારી હતી. ટૂંકમાં આ ઘરદેરાસર સં. ૧૯૬૩ પૂર્વેનું છે. શાંતિનાથની પોળ (અદ્વસીનો પાડો) શાંતિનાથ (સં. ૧૭૨૯ પૂર્વે) આજે શાંતિનાથની પોળ તરીકે ઓળખાતા અદુલસીના પાડામાં પેસતાં, બીજી ગલીના ખૂણામાં બે બાજુ પ્રવેશદ્વારવાળું, બે મજલાવાળું, સામરણયુક્ત શાંતિનાથનું જિનાલય આવેલું છે. પ્રવેશદ્વારેથી ચારેક પગથિયાં ચડીએ એટલે શૃંગારચોકી આવે છે જેમાં બે બાજુ નૃત્યાંગનાનાં શિલ્યો છે. બન્ને બાજુ નાના, સુંદર ગોખ છે. ત્રણ પ્રવેશદ્વારેથી રંગમંડપમાં દાખલ થઈ શકાય છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે. રંગમંડપમાં પેસતાં જ, બે બાજુ ગોખલાઓ છે. ડાબે ગોખલે નિર્વાણીદેવી અને જમણે ગોખલે ગરુડ યક્ષ છે. રંગમંડપના ઘુમ્મટમાં વાઘગાન કરતી, સુંદર, કલાત્મક પૂતળીઓ છે. ગભારાની બહારના ભાગમાં બન્ને બાજુ ગોખ છે જે પૈકી એકમાં ચક્રેશ્વરીદેવીની મૂર્તિ બિરાજમાન છે. બીજી બાજુના ગોખમાં શ્રી મોતીલાલ ભવાનચંદ પાલેજવાળાનું ઘરદેરાસર પધરાવવામાં આવ્યું છે. અહીં પાંચ ધાતુપ્રતિમા અને એક ધાતુના સિદ્ધચક્ર છે. મૂળનાયક શાંતિનાથ ચોવીશી છે. તેના પરના લેખમાં “સં. ૧૫૩૭...લક્ષ્મીસાગરસૂરિ..... પત્તન વાસ્તવ્ય.....'ની વિગતો છે. આ ઘરદેરાસર સં. ૨૦૨૩ના મહા સુદ ૧૦ અને તા. ર૦-ર૬૦ના રોજ પધરાવવામાં આવ્યું હતું. એક જ ગર્ભદ્વારયુક્ત ગભારાના રજતજડિત દ્વાર પર શ્રી શાંતિનાથનો દસમો ભવ તથા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy