SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો પાંચ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા છે. ગર્ભગૃહને ત્રણ દ્વાર છે. અને વચલે ગભારે જેનાથી જિનાલય ઓળખાય છે એ શાંતિનાથની ૧૯” ઊંચાઈ ધરાવતી સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. એના પર લેખમાં “સં. ૧૪૬૪ વર્ષે પ્રાગ્વાષ્ટ્ર જ્ઞાતિય ........” એટલું વાંચી શકાય છે. ડાબે ગભારે શ્રી મહાવીરસ્વામી છે. અને તેની ગાદીમાં એક સાવ નાની આરસપ્રતિમા જડી દીધી હોય તેમ જણાય છે. અહીં ગભારામાં કુલ બાર આરસપ્રતિમા, ઓગણચાળીસ ધાતુપ્રતિમા અને એક ધાતુના પરિકરમાં સ્ફટિકની નાની પ્રતિમા છે. ઉપરાંત બે દેવીમૂર્તિઓ છે. દેવકુલિકામાંના આદેશ્વરની અષાઢ વદ ૬ અને શાંતિનાથની વૈશાખ વદ ૭ના રોજ વર્ષગાંઠ છે. આ જિનાલયમાં આ બન્ને વર્ષગાંઠ ઊજવાય છે. ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં ૧૭૨૯માં રચાયેલી પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં થયેલો છે : ૧૧૭ વસાવાડે દોય શત અઠાવીસ, શાંતિ જિણેસર સામી । ઓગણીસ જિનસું દોસીવાડે, ઋષભ નમું સિર નામી રે ।।ા ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં વસાવાડામાં શાંતિનાથનું જિનાલય હોવાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : વસાવાડે ભેટીયા રે, સોલસમા શાંતિનાથ. ૪ સો પોલે અષઈ ગણીયા તણું રે, આદિશ્વર અરિહંત, સં. ૧૭૨૯માં દોસીવાડો વિસ્તારમાં આદેશ્વરના જિનલાયનો ઉલ્લેખ છે અને સં ૧૭૭૭માં અખઇગણીયાની પોળમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ મળે છે. પાટણના મોટી ઉંમરના એક વિદ્વાન વ્યક્તિએ માહિતી આપી કે અખઇગણીયાની પોળના આદેશ્વરની પ્રતિમા વસાવાડાના શાંતિનાથના જિનાલયમાં પધરાવવામાં આવ્યા છે. આજે વસાવાડાના શાંતિનાથના જિનાલયમાં દેવકુલિકામાં આદેશ્વર ભગવાન બિરાજમાન છે. સંભવ છે કે સં ૧૭૨૯માં દોસીવાડાનો જે ઉલ્લેખ થયો છે તે વિસ્તાર સં ૧૭૭૭માં અખઇગણીયાની પોળ નામે પ્રચલિત થયો હોય. સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં દોસીવાડામાં શાંતિનાથના એક ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. Jain Education International દોસીવાડઈ હટૂનઇ ઘિર । શાંતિજિન દીઠ રે સાર ||૪૧ મૂ સં ૧૯૫૯માં પં હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં વસાપાડે શાંતિનાથ તથા આદેશ્વરના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy