________________
૧૧૪
વાગોળનો પાડો
આદેશ્વર (સં. ૧૭૭૭ પૂર્વે)
વાગોળના પાડામાં પ્રવેશતાં, ઘર જેવું સાદું જણાતું, આરસનું શ્રી આદેશ્વરનું નાનું, ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલયને મુખ્ય એક પ્રવેશદ્વાર ઉપરાંત અન્ય એક પ્રવેશદ્વા૨ ડાબી બાજુએ આવેલું છે.
રંગમંડપ નાનો છે. છત તથા ઘુમ્મટ રંગીન છે. તેમાં રાસ રમતાં નરનારીનું ચિત્ર તેની શોભામાં વૃદ્ધિ કરે છે. ત્રણ ગર્ભદ્વારવાળા ગભારાની બારસાખે ચામરધારીઓની રચના છે. ડાબા ગભારાની ઉપરની દીવાલે સમવસરણ, વચ્ચે મેરુશિખર તથા જમણા ગભારાની ઉપરની દીવાલે અષ્ટાપદની રચના છે.
પાટણનાં જિનાલયો
ગભારમાં મૂળનાયક શ્રી આદેશ્વરની ૧૫' ઊંચાઈ ધરાવતી પરિકર વિનાની પ્રતિમા બિરાજમાન છે. ડાબે ગભારે શ્રી વાસુપૂજ્ય અને જમણે ગભારે શ્રી મુનિસુવ્રતસ્વામી છે. અહીં ચાર આરસપ્રતિમા ઉપરાંત બે પેનલમાં પ્રતિમાઓ છે તથા દસ ધાતુપ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે બે પ્રતિમાઓ ખોદકામ મળી આવેલી છે.
ઐતિહાસિક સંદર્ભ
વાગોળના પાડામાં આદેશ્વરના આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે :
પોલે વાગોલને ભેટીયા રે, નાભિનરિંદ મલ્હાર, પોલે કાંન રેવા તણે રે, મુનીસુવ્રત સુવિચાર.
૩ સોભા
ત્યારબાદ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં વાગોલના પાડામાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે ઃ
પંચોટી પાડે જિનમાદિદેવું, વાગોલ પાડે વૃષભં જિનં ચ 113811
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. જિનાલયમાં છ આરસપ્રતિમા તથા ચાળીસ ધાતુપ્રતિમા હતી અને જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત તે સમયે વાગોળના પાડામાં શા છોટાલાલ છગનલાલના ઘરદેરાસરનો પણ ઉલ્લેખ થયો છે.
Jain Education International
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આદેશ્વરના આ જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. જિનાલયમાં સાત આરસપ્રતિમા અને ચાળીસ ધાતુપ્રતિમા હતી અને વહીવટ ભગુભાઈ ચુનીલાલ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી.
સ્થાનિક માહિતી પ્રમાણે જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૨૦૨૦માં થયેલો છે. આજે
For Personal & Private Use Only
www.jainelibrary.org