________________
પાટણનાં જિનાલયો
૧૧૩
પાર્શ્વનાથની પ્રતિમા લેપ કરેલ છે અને તેની ઊંચાઈ ર૭”ની છે. પ્રતિમા રજતછત્રીમાં બિરાજમાન છે. અહીં સાત આરસપ્રતિમા અને એક ચોવીસવટો છે. ઉપરાંત આરસની બે દેવીમૂર્તિ છે. તથા પગલાની પાંચ જોડ છે.
ઘીયાવીરનું સ્થાનક સામેના શાંતિનાથના જિનાલયની બહાર જ છે અને કંબોઈ પાર્શ્વનાથ તથા શાંતિનાથનાં જિનાલયો એક જ કંપાઉંડમાં છે. આથી જ કદાચ, આજે કંબોઈ પાર્શ્વનાથ ઘીયાવીર પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે.
ઐતિહાસિક સંદર્ભ અગાઉ જણાવ્યા મુજબ કંબોઈ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. તે સમયે આ જિનાલય કટકીયાવાડામાં હોવાનું દર્શાવ્યું છે. આજે કટકીયાવાડ, ઘીયાપાડો પાસ-પાસના વિસ્તારો છે.
કટકીયાવાડઈ કઉતિગ, મૂરતિ દીઠી એ ઝિગમિગ. ૩૨
કંબોયુ પાસ નિણંદ, નવ નવ કરઇ આણંદ, ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં, સં. ૧૯૫૯માં પં. હિરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અને સં. ૨૦૦૮માં આ જિનાલયનો સાતત્યપૂર્વક ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે સાત આરસપ્રતિમા અને એક ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. ઉપરાંત પગલાંની પાંચ જોડનો ઉલ્લેખ થયેલો છે. આજે પણ જિનાલયમાં સાત આરસપ્રતિમા અને પગલાંની પાંચ જોડ છે.
સ્થાનિક માહિતી પ્રમાણે આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૯૯માં કરવામાં આવેલ છે. આજે આ જિનાલયનો વહીવટ મુંબઈસ્થિત શ્રી મહેન્દ્રભાઈ ગભરૂચંદ શાહ હસ્તક છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૫૭૬ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org