________________
પાટણનાં જિનાલયો
પાસ કંબોઈઉ તે વિલ જુહારીઇ । સાત જ પિંડમા રે સાર । કટકીઆવાડઇ રિસહ જ પૂજીઇ । પંચાવન જિન ઉદાર
૪૫ મૂ
ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર ઘીયાના પાડો તરીકે આ વિસ્તારનો ઉલ્લેખ મળે છે. તે સમયે અહીં કુલ બે જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ પ્રાપ્ત થાય છે :
ઘીયાપાડામાં દોય દેહરાં, શાંતિનાથ પાર્શ્વનાથ । એકસો ત્રેવીસ તેર પ્રતિમા, મુગતિપુરીનો સાથ
||ભગાલી
ત્યારબાદ સં ૧૮૨૧માં ઉપા૰ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ઘીયાપોળમાં બે જિનાલયો વિદ્યમાન હોવાના ઉલ્લેખ મળે છે :
મહાલક્ષ્મી ગોદડ તણો, નીસાલનો પાડો જાંણિ; ચૈત્ય એકેક ઘીયા તણું, દેવલ દોય વખાણ.
સં ૧૩
એટલે કે ત્યારે પણ શાંતિનાથ તથા કંબોઈ પાર્શ્વનાથનાં જિનાલયો વિદ્યમાન હોવાનો પૂરો સંભવ છે.
૧૧૧
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ઘીયાના પાડામાં શાંતિનાથ અને પાર્શ્વનાથનાં જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપરાંત તે સમયે ઘીયાના પાડામાં શા ન્યાલચંદ આલમનું એક ઘરદેરાસર વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે.
સં. ૨૦૦૮માં ઘીયાના પાડામાં શાંતિનાથ તથા કંબોઈપાર્શ્વનાથનાં જિનાલયોના ઉલ્લેખ
મળે છે.
આજે પણ ઘીયાના પાડામાં ઉપર્યુક્ત બે જિનાલયો વિદ્યમાન છે.
Jain Education International
ઘીયાનો પાડો
શાંતિનાથ (સં. ૧૬૧૩ પૂર્વે)
ઘીયાના પાંડામાં પહેલા ખાંચાના ખૂણામાં વિશાળ ચોક જેવું કંપાઉંડ છે. ત્યાં શ્રી શાંતિનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. ચોકમાં સામે જ શ્રી કંબોઈપાર્શ્વનાથનું જિનાલય છે. બાજુમાં જ જે જગ્યા છે તે જિનાલયની છે અને ત્યાં પૂર્વે કન્યાશાળા હોવાનું જાણવા મળ્યું છે.
જિનાલયમાં પ્રવેશતાં પહેલાં, જમણી બાજુએ ઘીયાવીરનું સ્થાનક છે, જેમાં કાળી, વળાંકદાર મૂછો અને પ્રતાપી આંખોવાળી કેસરી રંગની ઘીયાવીરની મૂર્તિ શોભે છે. ઘીયાવીરને તેલ નથી ચઢતું પણ ઘી અને સિંદૂર ચડે છે. માળી કોમને આ વીર પર અપાર શ્રદ્ધા છે. નિત્ય દર્શનની આ કોમને જાણે કે ટેક છે ! ઘીયાવીરની બાજુમાં ક્ષેત્રપાલ અથવા બળિયાદેવ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org