________________
૧૦૮
પાટણનાં જિનાલયો
સાદા નાના ગોખ છે.
ગર્ભદ્વાર એક જ છે. અહીં ૨૩” ઊંચાઈ ધરાવતી આદેશ્વરની પ્રતિમા મધ્યે બિરાજે છે. મૂળનાયકને ખભે કેશ છે જે જિનાલયની પ્રાચીનતા સૂચવે છે. પ્રતિમા પરના લેખમાં પણ “સંવત ૧૪૬૮ વર્ષે વૈશાખ ... ભાર્યા સઈજલદે ...... શ્રેયાર્થે ......” વંચાય છે. મૂળનાયકની જમણી બાજુની પ્રતિમાને (લેખ કે લાંછન વાંચી કે ઓળખી શકાતા નથી.) ખભે પણ કેશ છે. અહીં કુલ છ આરસપ્રતિમા છે જેમાં એક નાની શ્યામ પાર્શ્વનાથની છે. ધાતુમતિમાં કુલ આઠ છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૬ ૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. કટકીયાવાડામાં અગાઉ સં૧૫૭૬માં કંબોઈ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. આજે કટકીયાવાડાની નજીકમાં આવેલા ઘીયાપાડામાં કંબોઈ પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન છે.
સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કટકીઆવાડામાં – ૧. આદેશ્વર, ૨. વિમલનાથ (સેઠ મેઘરાજના ઘરે), ૩. વિમલનાથ (વણાયગ સહરીયાના ઘરે), ૪. મુનિસુવ્રતસ્વામી અને ૫. વાસુપૂજ્યસ્વામી (સંઘવી અટ્ટાના ઘરે) – એમ કુલ પાંચ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે :
શ્રી કંબોઈલ કરઈ કલ્યાણ, નવ પ્રતિમા વંદુ નિત જાણ કટકીઆ વાડઈ આણંદ, છ પ્રતિમાસું ઋષભ નિણંદ સેઠ મેઘરાજ તણાં ઘરિ જોય, વિમલ સહિત ત્રણિ પ્રતિમા હોઈ સેઠ વણાયગ સહરીઆ તણઈ, જોઈ શ્રી જિન ઊલટ ઘણિ ૧૦ તિહા પ્રણમી જઈ શ્રી જિન વિમલ, ચંપક કેતકી લીજઇ કમલ ત્રણિ પ્રતિમા પૂજીજઇ સહી, વધિ સહિત જિમ સૂત્રિ કહી ૧૧ ધુલી પરવિ મુનિસુવ્રત સ્વામિ, દરીય પણાસઈ જેહનઈ નામિ તિમાં પ્રતિમા પ્રણમૂઉં છત્રીસ, ધ્યાન કરું તેનું નિસ દીસ ૧૨ સંઘવી અટ્ટાઘરિ અણસર, વાસુપુજ્ય જિન પૂજા કરુ
ત્રણ પ્રતિમા તિહાં કણિ ભાવીઇ, ગોદડનઈ પાડઈ આવીએ ૧૩ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કટકીઆવાડમાં બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. ૧. આદેશ્વર અને ૨. અજિતનાથ (સેઠ વિમલદાસના ઘરે).
પાસ કંબોઈલે તે વલિ જુહારીઈ | સાત જ ડિમા રે સાર | કટકીઆવાડઈ રિસહ જ પૂજઇ . પંચાવન જિન ઉદાર ૪૫ મૂત્ર સેઠિ વિમલદાસ ઘરિ અજિત જિણેસરૂચૌદહ જિન ધન ધન્ન | નિરપુ જિનાજી હઈએ હરિષહ્યું તસુ વલી વાઘ ઈ વન II૪૬ મૂડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org