________________
૧૦૬
પાટણનાં જિનાલયો
ફાટીપાલ દરવાજા બહાર
આદેશ્વર (સં. ૧૯૯૦)
ફાટીપાલ દરવાજા બહાર પાટણ જૈન મંડળ કૅમ્પસમાં આદેશ્વરનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયને ત્રણ પ્રવેશદ્વાર છે.
આ જિનાલયનો રંગમંડપ સ્વચ્છ, સુંદર અને મધ્યમ કદનો છે. રંગમંડપની બહારના ભાગમાં ઉપરની છત પર સુંદર રંગમળવણીવાળી કોતરણી છે. રંગમંડપની દીવાલો ઉપર શત્રુંજય, આબુ, અષ્ટાપદ, પાવાપુરી, સમેતશિખર અને ગિરનારના પટનું ચિત્રાંકન થયું છે. રંગમંડપમાં, ગર્ભદ્વાર પાસેના ગોખમાં ડાબી બાજુ ચક્રેશ્વરીદેવીની મૂર્તિ છે. જમણી બાજુ ગોખમાં ગૌમુખ યક્ષ છે.
ગભારામાં મૂળનાયક તરીકે ૨૫” ઊંચાઈની પ્રતિમા બિરાજમાન છે. તેને લેખ નથી. અહીં એક આરસપ્રતિમા તથા કુલ ત્રણ ધાતુપ્રતિમા છે. છાત્રાલયમાંનું આ જિનાલય ત્યાં રહેતાં વિદ્યાર્થીઓના દર્શનલાભાર્થે બન્યું હોવું જોઈએ.
* ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મળે છે. ત્યારે એક આરસપ્રતિમા અને બે ધાતુપ્રતિમા હતી. આ જિનાલયની સ્થાપના સં. ૧૯૯૦માં થયાનો ઉલ્લેખ છે. જિનાલયનો વહીવટ શ્રી પાટણ જૈન મંડળ છાત્રાલય દ્વારા જ થતો હતો. સં. ૧૯૯૦ના વૈશાખ સુદ ત્રીજના રોજ જિનાલયની પ્રતિષ્ઠા થઈ હતી. સ્થાનિક માહિતી પ્રમાણે મૂળનાયક આદેશ્વરની પ્રતિમા પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાંથી શ્રી સંઘ પાસેથી રૂા. ૪OO નકરો ભરીને લાવવામાં આવી હતી. પ્રતિષ્ઠાવિધિ પંડિતવર્ય શ્રીયુત ફૂલચંદભાઈ ખીમચંદભાઈ વલાદવાળા દ્વારા કરાવવામાં આવી હતી.
ફાટીપાલ દરવાજા બહાર કંરડિયા પાર્શ્વનાથ (સં. ૨૦૫૨)
પાટણ નગરમાં જ વસ્તીથી ઘણે દૂરના વિસ્તારમાં એક મોટા સંકુલમાં કરંડિયા પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
જિનાલયમાં પ્રવેશતાં જ જમણી બાજુ વર્તુળાકારે એક નાની દેરી નજરે ચડે છે. એમાં મુનિમહારાજના ફોટા તથા પગલાંની ચાર જોડ છે. નામ ઉપરથી ચૈત્યવાસી સાધુઓનાં પગલાં હોવાનું જણાય છે. આ ચારે પગલાંની નીચેનું લખાણ તથા મુનિઓનાં નામ નીચે પ્રમાણે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org