SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ પાટણનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૧૫૭૬માં કલ્હરવાડો, સં. ૧૬૧૩માં કલહરવાડો, સં. ૧૬૪૮માં કલ્હારવાડો, સં. ૧૭૨૯માં કલારવાડો અને ત્યારથી અદ્યાપિપર્યત પણ કલારવાડો નામથી જ આ વિસ્તાર પ્રચલિત થયેલો છે. કલારવાડામાં વિદ્યમાન શાંતિનાથના આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૬૧૩માં રચાયેલી સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. જો કે તે અગાઉ સં. ૧૫૭૬માં રચાયેલી સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કલ્ડરવાડોમાં તીર્થકરના નામ વિનાના એક જિનાલયનો ઉલ્લેખ થયેલો છે : બીજઇ ભુવનિ જિસેસર નમી, કુમતિ કદાગ્રહ સદા અવગમી, કલ્હરવાડઇ પણમઉં દેવ, ઇંડિ પાપ નિર્મલ થિઉ હેવ. ૪૦ ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે : કલહરવાડઇ શાંતિ જિણેસર, પ્રતિમા છપન્ન પરમ જોગીશ્વર નંદીસર અવતાર જિન તુ ४७ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ કરવામાં આવ્યો છે : કલ્હારવાડઈ શાંતિજી ! બિંબ પંચાવન હોઈ નેમિll૫૪ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કલારવાડામાં શાંતિનાથ તથા વિમલનાથ એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. જો કે વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ ત્યારબાદ થયેલો નથી. કલારવાડે દેહરાં દોય, શાંતિ બિંબ એકાવન હોય ! બાવન જિનાલય જોયા ||જિ ૩ી. પીતલમય બિંબ સોહાવે, વિમલનાથ ભવિક મન ભાવે | . ચી ઉત્તર ચતુરા જિનગુણ ગાવે જિ. જી. સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કલારવાડામાં શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ થયો નથી. ત્યારબાદ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે : વંદે શ્રી નેમિનાથં યદુકુલતિલક શાંતિ-ધર્મો ચ મલ્લિ, વાડેશ્ચાં શાલવીનાં જિનપતિરવશાંતિ ચ કલ્લારવાડે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy