SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પાટણનાં જિનાલયો સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શાંતિનાથનું જિનાલય શાળીવાડાના કલાલવાડામાં શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે નવ આરસપ્રતિમા અને છ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી હતી. ઉપરાંત તે સમયે કલાલવાડામાં ૧. શાળવી સાકરચંદ પ્રેમચંદ, ૨. શાળવી આલમચંદ શિવચંદ, ૩. શાળવી ણછોડ રામચંદ, ૪. શાળવી અમીચંદ પાનાચંદ, ૫. શાળવી રણછોડ દેવચંદ (કલાલવાડાની કુઈવાડી શેરીમાં), ૬. શાળવી નાલચંદ હીરાચંદ (કલાલવાડાની ઝવેરી શેરીમાં) અને ૭. શાળવી ગોદડચંદ મૂલચંદ (કલાલવાડાની ઝવેરી શેરીમાં) – એમ સાત ઘરદેરાસરો પણ વિદ્યમાન હતાં. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જવરીવાળી શેરીમાં પાર્શ્વનાથના એક ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. પરિવારના નામમાં શાળવી છોટાલાલ ગોદડચંદનો નિર્દેશ થયેલો છે. સં. ૧૯૬૩માં આ ઘરદેરાસરનો ઉલ્લેખ ગોદડચંદ મૂલચંદના નામે થયેલો છે. આ ઘરદેરાસર સં. ૧૯૦૦ લગભગના સમયનું હોવાનો જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઉલ્લેખ છે. તે સમયે આ ઘરદેરાસર બીજે માળે હતું. સં૨૦૧૦માં કલારવાડાના શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. ત્યારે સાત આરસપ્રતિમા અને સાત ધાતુપ્રતિમા હતી. વહીવટ શાળવી અમથાલાલ રામચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. આજે પણ જિનાલયમાં સાત આરસપ્રતિમા અને સાત ધાતુપ્રતિમા છે. જિનાલયનો વહીવટ શ્રી ચંપકલાલ નહાલચંદ સાલવી હસ્તક છે. તેઓ કલારવાડામાં જ રહે છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે. આ જિનાલયનો સમય ૧૯મા સૈકાનો નક્કી કરવા માટે વધુ પુરાવાઓની જરૂર છે. ત્રિશેરીયું, સાલવીવાડો સાલવીવાડમાં આવેલો આજે ત્રિશેરીયું નામથી પ્રચલિત વિસ્તાર સં. ૧૫૭૬માં ત્રિસેરીયું, સં. ૧૬૧૩માં, સં. ૧૬૪૮માં તથા સં. ૧૭૨૯માં ત્રસેરિયું, સં૧૭૭૭માં તરશેરીયાની પોળ નામથી પ્રચલિત હતો. સં. ૧૯૫૯માં કલારવાડો વિસ્તારમાં તરશેરીયાની પોળનો વિસ્તાર સમાવિષ્ટ થયેલો માલૂમ પડે છે. સં. ૧૯૬૩માં નેમિથરની પોળ તથા તરસેરીઆનો પાડો – એમ બે વિભાગમાં બે નામથી પ્રચલિત હતો. સં૨૦૧૦માં તરશેરીયાનો પાડો તરીકે ઉલ્લેખ થયેલો છે. એટલે કે આ વિસ્તાર ઘણા પ્રાચીન સમયથી મુખ્યત્વે ત્રિશેરીયું તરીકે જાણીતો છે. સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં ૧. નેમિનાથ અને, ૨. તીર્થકર નામ દર્શાવેલ નથી – એમ બે જિનાલયો હોવાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy