________________
પાટણનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ સાલવીવાડમાં આવેલી ગોલવાડની શેરીમાં ગોડી પાર્શ્વનાથના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૬૩માં જોવા મળે છે. સં. ૧૯૫૯માં સાલવીવાડાના ગોલવાડ વિસ્તારમાં પાર્શ્વનાથ તથા ચંપા પાર્શ્વનાથ – એમ બે જિનાલયોનો ઉલ્લેખ છે. સંભવ છે કે ગોડી પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ તે સમયે પાર્શ્વનાથ તરીકે થયો હોય.
સં. ૨૦૧૦માં ગોડી પાર્શ્વનાથના જિનાલયનો સમય સં. ૧૮૦૦ લગભગ દર્શાવવામાં આવ્યો છે તથા ચંપા પાર્શ્વનાથના જિનાલયનો સમય સં. ૧૭૦૦ લગભગ દર્શાવ્યો છે.
સં. ૧૫૭૬માં ગોલવાડમાં પાર્શ્વનાથનું એક જિનાલય, સં૧૬૧૩માં પાર્શ્વનાથનું એક જિનાલય, સં. ૧૬૪૮માં પાર્શ્વનાથનાં બે જિનાલયો, સં. ૧૭૨૯માં સપ્તફણા પાર્શ્વનાથ તથા સં. ૧૭૭૭માં પાર્શ્વનાથના એક જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગોડી પાર્શ્વનાથના જિનાલયને શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. અહીં માત્ર એક આરસપ્રતિમા અને બાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય નારણજીનો પાડો, સાલવીવાડો, ગોલવાડ – એ મુજબના ઉલ્લેખવાળા વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલય ધાબાબંધી હતું. એક આરસપ્રતિમા તથા સોળ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. વહીવટ શાલવી ચુનીલાલ ત્રિકમલાલ હસ્તક હતો.
આજે પણ આ જિનાલયનો વહીવટ સાલવીવાડામાં રહેતા શ્રી નટવરલાલ ચુનીલાલ સાલવી (નારણજીનો પાડો, ગોલવાડ), શ્રી પ્રતાપચંદ ભાઈચંદ સાલવી (ગોલવાડ), શ્રી મહેન્દ્રભાઈ ગોપાલદાસ સાલવી (નારણજીનો પાડો) હસ્તક છે.
| ઉપલબ્ધ આધારભૂત માહિતીને આધારે આ જિનાલય સં૧૫૯ પૂર્વેનું માની શકાય. પરંતુ સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો સમય સં. ૧૮૦૦ લગભગનો દર્શાવ્યો છે. તે સંદર્ભમાં સં. ૧૫૭૬માં એક તથા સં૧૬૪૮માં પાર્શ્વનાથનાં બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે. આ જિનાલયો પૈકી કોઈ જિનાલય ગોડી પાર્શ્વનાથનું જિનાલય હશે કે કેમ તે અંગે વધુ સંશોધનની જરૂર છે.
- વચલી શેરી, ગોલવાડ, સાલવીવાડો
ચંપા પાર્શ્વનાથ (સં. ૧૬૫૫ પૂર્વે)
- સાલવીવાડ વિસ્તારમાં, નારણજીના પાડા પાસે આવેલા ગોલવાડની વચલી શેરીમાં પ્રાચીન ભવ્યતાની આછેરી ઝલક આપતું શ્રી ચંપા પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. પ્રવેશદ્વાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org