________________
૯૨.
પાટણનાં જિનાલયો
હોવાની નોંધ છે :
૧. શાલવી સાકળચંદ પ્રેમચંદ – શાલવીવાડાના કલાલવાડામાં ૨. શાલવી આલમચંદ શિવચંદ - શાલવીવાડાના કલાલવાડામાં ૩. શાળવી રણછોડ રામચંદ – શાલવીવાડાના કલાલવાડામાં ૪. શાલવી અમીચંદ પાનાચંદ – શાલવીવાડાના કલાલવાડામાં ૫. શેઠ પૂનમચંદ રીખવચંદ – શાલીવાડાના ગોલવાડાની કંબોઈ શેરીમાં ૬. શાલવી પુરુષોત્તમ ફતેચંદ – શાલીવાડાના ગોલવાડાની વચલી શેરીમાં ૭. શાલવી ચુનીલાલ ત્રિભોવન - શાલીવાડાના ગોલવાડની કંબોઈની શેરીમાં ૮. શાળવી રણછોડ દેવચંદ – શાલીવાડાના કલાલવાડાની કુઈવાડી શેરીમાં , ૯. શાલવી નાલચંદ હીરાચંદ – શાલીવાડાના કલાલવાડાની ઝવેરી શેરીમાં ૧૦. શાલવી ગોદડચંદ મૂલચંદ – શાલીવાડાના કલાલવાડાની ઝવેરી શેરીમાં
સં. ૧૯૬૩માં ગોદડચંદ મૂલચંદના જે ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે તે ઘરદેરાસર સં. ૨૦૧૦માં પણ વિદ્યમાન છે. મૂળનાયક પાર્શ્વનાથનું આ ઘરદેરાસર જવરવાળી શેરીમાં બીજે માળે હતું અને સાલવી છોટાલાલ ગોદડચંદના નામથી એ ઘરદેરાસર પ્રચલિત હતું. તે સમયે આ ઘરદેરાસરમાં સાત આરસપ્રતિમા બિરાજમાન હતી.
ગોલવાડ, સાલવીવાડો ગોડી પાર્શ્વનાથ (સં. ૧૫૯ પૂર્વે)
સાલવીવાડ વિસ્તારમાં નારણજીના પાડા પાસે, ગોલવાડની વચલી શેરીમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું આરસનું નાનું, ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
અહીં રંગમંડપ નાનો અને સાદો . ત્રણ ગોખલા છે. ગર્ભગૃહને એક જ દ્વાર છે જેમાં મૂળનાયક ગોડી પાર્શ્વનાથની આરસપ્રતિમા ૨૧” ઊંચાઈની પ્રતિમા બિરાજમાન છે. તેને લેખ નથી. મૂળનાયક સિવાય આરસની અન્ય કોઈ પ્રતિમા નથી. કુલ બાર ધાતુપ્રતિમા છે જે પૈકી એક ચૌમુખજી છે. ગભારાની ઉપરની દીવાલે લાકડાની વાજિંત્ર વગાડતી પૂતળીઓ તથા સુંદર કોતરણી મૂકી છે. સંભવતઃ આ કોતરણી કોઈ એક સમયે આ જિનાલયમાં જ ક્યાંક હશે. જીર્ણોદ્ધાર કરાવતાં, તેની સ્મૃતિરૂપ આ અવશેષો અહીં મૂક્યા હોવા જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org