________________
પાટણનાં જિનાલયો
પોળમાં આદેશ્વર, તરશેરીયાની પોળમાં નેમનાથ-આદેશ્વર-મલ્લિનાથનું સંયુક્ત દેરાસર તથા ખરતરગચ્છનું શાંતિનાથનું જિનાલય – એમ કુલ પાંચ જિનાલયોના વંદન ખૂબ ભાવપૂર્વક કરે છે.
પાંચ પ્રાસાદ સોહામણા, સુંદર સાલવીવાડે રે, વિગતનું પર્વે સાંભલો નામઠામ જેણે પાડે રે. ૧૦ પાઠ ગોલવાડે પાસજી ત્રેવીસમા જિન વંદો રે, પોલેં ધાંધલનીયે ભેટીયા, સંભવનાથ જિખંદો રે. ૧૧ પાઠ પોલે નારાયણ તણે, રીષભ દેવ જુહારો રે, ભવસાયર માંહિ બૂડતાં ઉતારે ભવ પારો રે.
૧૨ પાઠ પોલે જઈ તરસેરીયે નેમનાથ નિત્ય વંદો રે, પાસે આદિ જિનેસ મલ્લિનાથ સુખકંદો રે.
૧૩ પાઠ દેહરે પરતરગચ્છ તણે, સાંતિનાથ ભગવંતો રે,
શુભ યોગઇ કરી વંદના, અશુભ કરમ કયા અંતો રે. ૧૪ પા સં. ૧૮૨૧માં ઉપાટ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં સાલવીવાડામાં આઠ જિનાલયોનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયેલો છે.
દકાલ કોટડી એક દીપતું, સાલવીવાડે આઠ;
મલ્લી પડિ (પાડે) મલ્લી પાસજી, પૂજા કરો શુભ ઠાઠ સં. ૧૬ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં શાલવીવાડા અંતર્ગત તરશેરીયાની પોળનો ઉલ્લેખ કર્યા વિના નેમિનાથ, શાંતિનાથ, ધર્મનાથ અને મલ્લિનાથ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ કલ્લારવાડામાં શાંતિનાથ, નારાયણવાડામાં આદેશ્વર ધાંધલમાં સંભવનાથ અને ગોલાવાડમાં પાર્શ્વનાથ તથા ચંપા પાર્શ્વનાથના જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
વંદે શ્રી નેમિનાથં યદુકુલતિલકે શાંતિ-ધર્મો ચ મલ્લિ, વાડેશ્ચાં શાલવીનાં જિનપતિરવશાંતિ ચ કલ્લારવાડે ! વાડે નારાયણે વૈ પ્રથમજિનપતિ ધાંધલે સંભવં ચ,
ગોલાવાડે ચ પાર્શ્વ સુરનર મહિત ચંપકાવું ચ પાર્થમ્ ૩૯તા સં. ૧૯૬૩માં, સં. ૧૯૬૭માં તથા સં૧૯૮૨માં - એમ કુલ ત્રણ યાદીઓને આધારે જોઈએ તો સાલવીવાડામાં ગોલવાડની શેરીમાં ચંપા પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, નારાયણજીના પાડામાં આદેશ્વર, ધાંધલમાં સંભવનાથ, કલારવાડામાં શાંતિનાથ, નેમીશ્વરની પોળમાં નેમિનાથ-પાર્શ્વનાથ-મલ્લિનાથનું સંયુક્ત દેરાસર તથા ત્રશેરીયાના પાડામાં શાંતિનાથનું જિનાલય વિદ્યમાન હતું. ઉપરાંત સં૧૯૬૩માં સાલવીવાડમાં કુલ દસ ઘરદેરાસરો વિદ્યમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org