________________
પાટણનાં જિનાલયો
કુરસીવાજો, કૈયાવાડો, દણાયગવાડો, ધંધુલીપાડો, સન્નાગવાડો, પુřાંગવાડો વ. મહોલ્લાઓ નાશ પામતાં તેના અવશેષરૂપ ખુલ્લાં મેદાનો આવેલ છે. આ મહોલ્લાઓના નામ શાથી પડ્યાં તેનાં કારણો તપાસતાં કેટલીક અવનવી માહિતી જાણવા મળે છે.
આ પૈકી કૈયાવાડો નામ ખાસ ધ્યાન ખેંચે છે. સાળવીઓના મહોલ્લાઓમાં ‘કૈયાકીચકો’ની પ્રતિમાઓ તેની દહેરીયોમાં બેસારેલી હોય છે. વિરાટરાજાના સાળા કૈયાકીચકનું નામ લોકોમાં જાણીતું છે. શિલ્પશાસ્ત્રમાં સ્તંભો ઉપર ભરણાં અને શિરાવટી સરાંઓમાં કીચકોનાં રેખાંકનો બનાવવાનું જણાવેલ છે. વિરાટ રાજાના સાળાનું નામ કીચક અને તેના પિતાનું નામ કેકય. આ પિતા-પુત્રને એક જ નામથી ઓળખતાં લોકોએ કેય કીચકના બદલે કૈયાકીચક નામ પાડ્યું. સાળવી લોકો આ મૂર્તિઓને કૈયાકાકા કહે છે. વિરાટના સાળા કીચકે દ્રૌપદી ઉપર કુદૃષ્ટિ કરવાથી, ભીમે તેને મારી નાખ્યો હતો. તે પૌરાણિક આખ્યાઇકા, મહાભારતમાં નોંધાઈ છે. કીચકોની પૂજા કેવા કારણથી સાળવીઓએ સ્વીકારી તે એક કોયડો જ છે. સાળવીવાડામાં કૈયાકીચકોના મંદિરોવાળો સ્વતંત્ર મહોલ્લો હતો તે મહોલ્લો નાશ પામતાં ત્યાંની પ્રતિમાઓ સાળવીવાડાના ત્રણશેરીયામાં લાવી સ્થાપી હોવાનું જણાય છે. સાળવીઓના દરેક મહોલ્લાઓમાં કીચકની દહેરીયો એક બે તો હોય છે જ. પરંતુ ત્રણશેરીયામાં લગભગ ચાર મૂર્તિઓ તેની નાની નાની કુલીકાઓમાં પધરાવી છે, જે કૈયાવાડામાંથી લાવવામાં આવી હશે. કુમારપાળે સાળવીઓને રાજસ્થાનના બિબોરામાંતઈ લાવી વસાવ્યાનું કુમારપાળ પ્રબંધમાં છે. મત્સ્ય દેશમાં વીર પુરુષ તરીકે પૂજાતા કીચકની પૂજા સાળવીઓ ત્યાંથી લાવ્યા હોવાનું મનાય છે.
૮૫
કૈયાવાડાની પાસે જ કુરસીવાડો આવેલો હતો. કુરસી એક જાતનું ધાન્ય છે. જ્યારે કુર ચોખાની કણકીને કહે છે. આ મહોલ્લામાં પહેલા ચોખાના વેપારીઓ રહેતા હશે. જેથી કુર ઉપરથી મહોલ્લાનું કુરસી નામ પડ્યું હોવાનું સમજાય છે. આ મહોલ્લામાં શાંતિનાથનું મંદિર આવેલું હતું. એમ ચૈત્યપરિપાટીમાં જણાવ્યું છે. કુરસીવાડો ભાગી જતાં ત્યાં આવેલ શાંતિનાથની પ્રતિમા ત્રણશેરીયામાં મંદિર બંધાવી સ્થાપવામાં આવી. આ મંદિરની સામે જ કૈયાકીચકોની દહેરીયો છે. સાલવીવાડામાં એક મહોલ્લાનું કલારવાડો નામ છે. આ નામ આધારે ક્લાલ ઉપ૨થી કલાર નામ પડ્યું હોવાનો તર્ક જાય એટલે ત્યાં કલાલ દારૂ વેચનારા લોકો રહેતા હોવા જોઈએ. સંવતના સત્તરમા સૈકા પહેલાં આ પોળનું કલાર કે ક્લેડ નામ પ્રચલીત હતું એમ ચૈત્યપરિપાટીઓ અને ગ્રંથપ્રશસ્તિના આધારે કરી શકાય તેમ છે. કુલાલ કે કલાલ શબ્દ કુંભારના અર્થમાં વપરાય છે. આથી આ મહોલ્લામાં પહેલાં કુંભાર લોકોની વસ્તી હોવાથી આ નામ રાખ્યું હોય તે બનવા જોગ છે.
આ પોળની નજદીક ધાંધલથી ઓળખાતી એક વિશાળ જગ્યા છે. પહેલાં ત્યાં ધંધુળીપાડો નામ ધરાવતો મહોલ્લો હતો. ધંધુળી નામ વ્યક્તિવિશેષ હોવાથી, તે નામ ધરાવતી કોઈ જાણીતી વિશિષ્ટ વ્યક્તિના નામ ઉપરથી તે મહોલ્લાનું નામ પડ્યું હશે એમ લાગે છે. આજના જમાનામાં આવાં નામો પ્રચલિત નથી, પરંતુ પૂર્વકાળમાં આવાં નામો રાખવામાં આવતાં. શ્રીમદભાગવતના પદ્મપુરાણોક્તમાહાત્મ્યમાં ધંધુકારીની માતાનું નામ ધંધેલી જણાવ્યું છે. આ મહોલ્લાનું નામ પણ આ નામ ઉપરથી પડ્યું હોવાનું ફલિત થાય છે.
ધંધુલીવાડા પાસે સત્રાગવાડો આવેલો, આજે તેનું નામ નિશાન રહ્યું નથી. સત્ર એટલે યજ્ઞ, અને સત્રાગાર એટલે દાનધર્મ સદાવૃત વ. ચલાવવાનું સ્થળ. ચૌલુક્યોના સમયમાં સત્રાગારનું સ્વતંત્ર ખાતું રાજ્ય તરફથી ચાલતું. કુમારપાળના રાજ્યકાળે નેમિનાથનો પુત્ર અભયકુમાર તે ખાતાનો અધ્યક્ષ હતો. સત્રાગારનું ટૂંકું નામ સત્રાગ. લોક સમાજમાં ચાલુ રહેતાં તે સ્થળ ઉપર, પૂર્વ કાળમાં ધાર્મિક દાનધર્મનું સત્રાગાર હશે જેના કારણે નવીન પાટણની વસાહત વખતે તેનું સત્રાગવાડો નામ લોકોએ રાખ્યું હોવાનો તર્ક છે. તેની નજીકમાં પુન્નાગવાડો આવેલો. પુન્નાગ એટલે જાયફળ. આ મહોલ્લામાં જાયફળ વ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org