________________
૮૪
શેઠ ભોગીલાલ ચુનીલાલ વહીવટદાર તરીકે સેવાઓ આપતા હતા.
ઉપરાંત જૈન તીર્થ સર્વસંગ્રહમાં મહાલક્ષ્મીનો પાડો-કોટાવાલાનું ઘરદેરાસર—એ મુજબનો ઉલ્લેખ કરીને મનમોહન પાર્શ્વનાથના એક ઘરદેરાસરનો પણ ઉલ્લેખ થયેલો છે. તેમાં બે આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. તે ઘરદેરાસર શેઠ પૂનમચંદ કરમચંદ કોટાવાલાએ સં. ૧૯૦૦માં બંધાવ્યાનો ઉલ્લેખ છે. આ જિનાલય બીજે માળે હતું તેવી પણ નોંધ થયેલી છે. વહીવટ શેઠ પ્રેમચંદ કોડીલાલ કોટાવાલા હસ્તક હતો. કોટાવાલાનું આ ઘરદેરાસર મૂળનાયક સાથે સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે.
પાટણનાં જિનાલયો
આજે જિનાલયમાં કુલ પચીસ આરસપ્રતિમા અને પાંસઠ ધાતુપ્રતિમા બિરાજે છે અને જિનાલયનો વહીવટ મહાલક્ષ્મીમાતાના પાડામાં રહેતા શ્રી કનુભાઈ શીવલાલ શાહ અને શ્રી જિતેન્દ્રકુમાર રસિકલાલ શાહ તથા મુંબઈનિવાસી શ્રી હેમંતભાઈ માણેકલાલ શાહ અને શ્રી દિનેશચંદ્ર રતીલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં૰ ૧૭૨૯ થી સં. ૧૭૭૭ના સમયગાળા દરમ્યાનનું છે.
સાલવીવાડો
સાલવીવાડો વિસ્તાર ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત થયેલો છે. આ વિસ્તાર ઘણો મોટો છે અને તેમાં જુદી-જુદી શેરીઓ, વાડાઓ, પાડાઓ તથા પોળોનો સમાવેશ થયેલો છે.
કનૈયાલાલ ભાઈશંકર દવેએ પાટણનાં સ્થળનામો વિષયક તા.૨૦-૯-૧૯૬૦ના રોજ વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરમાં સંભાષણ આપેલું. તેમાં સાલવીવાડા વિશે ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરી છે. તેમણે કરેલી ચર્ચાની સવિસ્તર નોંધ અક્ષરશઃ નીચે મુજબ છે :
“સાલવીવાડો એ મહોલ્લાનું નામ સાળવી જ્ઞાતિ ઉપરથી પડ્યું છે. આ લોકો પ્રાચીન કાળથી શાળ ઉપર વણવાનો ધંધો ચલાવતા હોવાથી સાળવી કહેવાયા. તેઓએ પાટણમાં ક્યારે નિવાસ કર્યો તેની ચોક્કસ સાલ મળતી નથી. પણ સિદ્ધરાજની માતા મયણલ્લા સાથે દક્ષિણ ભારતમાંથી આવી પાટણમાં રહ્યા હોવાનું કહેવાય છે. બીજી હકીકત કુમારપાળે બિંબોરા રાજસ્થાનથી સાળવીઓને લાવી વસાવ્યાની પણ મળે છે. પુરાતન પ્રબંધ સંગ્રહમાં સિદ્ધરાજના પિતા કર્ણદેવના સમયમાં કર્ણાવતી અમદાવાદમાં શાલાપતી સાળવી વસતા હતા એવો ઉલ્લેખ છે. આમ કર્ણદેવના સમયથી જ પાટણમાં તેમજ અમદાવાદમાં સાળવીઓ રહેતા હતા. એમ તો ચોક્કસ લાગે છે. આચાર્ય હેમચંદ્રે ત્રિશષ્ઠિ શલાકાપુરુષ ચરિત્રમાં દ્વારકાના વીરા સાળવીની નોંધ લેતાં ભગવાન કૃષ્ણે પોતાની કીર્તિમંજરી નામની પુત્રી પરણાવી હોવાનું સૂચવ્યું છે. ત્રિષષ્ઠિનો આ ઉલ્લેખ આચાર્ય હેમચંદ્રના સમયમાં સાળવીઓ સુપ્રસિદ્ધ હોવાની યાદ આપે છે. પાટણના કેટલાક મહોલ્લાનાં નામો વખતોવખત પરિવર્તન પામ્યા છે. પરંતુ આ મહોલ્લાનું નામ શહેરની સ્થાપનાથી અત્યાર સુધી કાયમ રહ્યું છે. પાટણની ચૈત્યપરિપાટીઓ અને સં. ૧૭૫૧માં લખાયેલી પ્રાકૃતક્રયાશ્રયની પ્રશસ્તિમાં તેના લહીયા લટકણના રહેઠાણ કરીકે સાલવીવાડાનો ઉલ્લેખ મળે છે. આ જિલ્લાની અંદર બીજા કેટલાક મહોલ્લાઓ વસેલા હતા. એમ ચૈત્યપરિપાટીઓના આધારે જાણવા મળે છે. આવા મહોલ્લાઓમાં આજે ફક્ત ચાર પોળો તરશેરીયું, કલારવાડો, નારાયણજીનો પાડો, અને ગોલવાડ વિદ્યમાન છે. જ્યારે ચૈત્યપરિપાટીઓમાં જણાવ્યા મુજબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org