________________
પાટણનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મહાલક્ષ્મીની પોળમાં મુનિસુવ્રત- સ્વામીના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર થયેલો જોવા મળે છે.
મુનિસુવ્રત જિન ભેટીયા, મહાલષમીને ક્ષેત્ર,
હો ભ પ્રાસાદ ચિત્ર નિહાલતાં, હરષીત થયાં દોય નેત્ર ભ ૧૨ પા
સં ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં કવિ મહાલક્ષ્મીના પાડામાં એક જિનાલય વિદ્યમાન હોવાનો નિર્દેશ કરે છે.
મહાલક્ષ્મી ગોદડ તણો, નીસાલનો પાડો જાંણિ; ચૈત્ય એકેક ઘીયા તણું, દેવલ દોય વખાંણ.
સં ૧૩
સં. ૧૯૫૯માં પં હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મહાલક્ષ્મીના પાડામાં મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ તથા પાર્શ્વનાથ એમ કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ થયો છે.
૮૩
—
Jain Education International
મહાલક્ષ્મીપાડે મુનિસવ્રતતીર્થેશમધુના, તથા કોટાવાસિપ્રવરધનિકાગારમિલિતમ્ । જિનં શાંતિ વંદે સકલસુરસંઘાતમહિત, તથૈવં વામેયં શઠકમઠસંતાપહરણમ્ ॥૩૬॥
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં મહાલક્ષ્મીના પાડામાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય શિખર વિનાનું દર્શાવવામાં આવેલું છે. તે સમયે પચીસ આરસપ્રતિમા અને સતાણુ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી દર્શાવવી છે. ઉપરાંત સં. ૧૯૬૩માં મહાલક્ષ્મીના પાડામાં કુલ સાત ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. શા૰ પાનાચંદ ઉત્તમચંદ, ૨. શા. નગીનદાસ ભાઈચંદ, ૩. શા ઘહેલાભાઈ સરૂપચંદ, ૪. શા૰ ગમાનચંદ વીઠલભાઈ, ૫. શા હાલાચંદ છગનલાલ, ૬. શા. મોતીચંદ રામચંદ તથા ૭. શા૰ હીરાચંદ સાકલચંદ. સ્થાનિક માહિતી મુજબ ઉપર્યુક્ત સાત ઘરદેરાસરો પૈકી પાનાચંદ ઉત્તમચંદ કોટાવાલાનું મનમોહન પાર્શ્વનાથનું ઘરદેરાસર પંચાસરા પાર્શ્વનાથના જિનાલય પાસે આવેલા સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં (કોટાવાલની ધર્મશાળા, આઝાદચોક) પધરાવી દેવામાં આવેલ છે. અન્ય ઘરદેરાસરો મુનિસુવ્રતસ્વામીના આ જિનાલયમાં પધરાવી દીધેલ છે.
સં. ૧૯૬૭માં તથા સં૰ ૧૯૮૨માં મુનિસુવ્રતસ્વામીના આ જિનાલય સાથે સુમતિનાથનો પણ ઉલ્લેખ થયેલો છે. એટલે કે તે સમયે આ સંયુક્ત જિનાલય હોવાનું માની
શકાય.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મહાલક્ષ્મીના પાડામાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પણ પચીસ આરસપ્રતિમા અને સડસઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. સં. ૧૯૭૯માં જીર્ણોદ્ધાર થયાની નોંધ છે. તે સમયે
For Personal & Private Use Only
www.jainelibrary.org