________________
८८
રાજનગરનાં જિનાલયો “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં પંડિત અંબાલાલ પ્રેમચંદ આ દેરાસરની નોંધ કરતાં લખે છે કે
આ મંદિર સં. ૧૬૦૦ લગભગમાં શ્રી સંઘે બંધાવેલું છે. ઉપરના ભાગમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની સહસ્ત્રફણાવાળી કાયોત્સર્ગસ્થ એક અસાધારણ ભવ્ય મૂર્તિ શોભે છે. બંને ચરણોને એક મનુષ્ય કે દેવ વળગીને પકડી રાખતો હોય તેમ લાગે છે. શિલ્પકૃતિમાં અને મૂર્તિવિધાનની શાસ્ત્રીય દષ્ટિએ આ મૂર્તિનો જોટો જડવો મુશ્કેલ છે. બીજા ગર્ભદ્વારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની નાની શ્યામળી પ્રતિમા કોરણીવાળા પરિકરમાં પદ્માસને બિરાજમાન છે. આ મૂર્તિની સામે હસ્તિઆરૂઢ ધાતુની એક જિનપ્રતિમા શોભીતી રીતે ગોઠવેલા છે. આ ત્રણે મૂર્તિઓ કળાવિધાનના અત્યુત્તમ નમૂના છે. ઉપરાંત, અજિતનાથ ભગવાનનું ગર્ભગૃહ પણ આવેલું છે.
નીચે ઊંડા ભોંયરામાં જગતવલ્લભ શ્રી પાર્શ્વનાથ ભગવાનની સફેદ આરસની છ ફટ ઊંચી ચમત્કૃતિપૂર્ણ પદ્માસનસ્થ પ્રતિમા પ્રતિષ્ઠિત છે. પરિકરમાં શોભતી આ પ્રતિમાની મુખમુદ્રામાંથી નિર્મળ હાસ્ય નીતર્યા કરતું હોય ને દર્શકના હૃદયને આફ્લાદિત બનાવી મૂકે એવું લાગે છે. પબાસણનું કોતરકામ તો નમૂનેદાર છે. આ મૂર્તિ સં૧૬૫૯માં પ્રતિષ્ઠિત કર્યાનો તેના ઉપર લેખ છે. આના દર્શન કરવા માટે એક જમાનામાં એક સોનામહોર આપવી પડતી એવી વાયકા લોકમાં પ્રચલિત છે.”
સં. ૧૬૬૨માં લલિતસાગરની ચૈત્ય પરિપાટી”માં ભોયરામાં જગવલ્લભના દેરાસરનો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપરાંત, ભોંયરામાં આદિનાથનું દેરાસર છે. આ આદિનાથની પ્રતિમા પણ ખૂબ જ વિશાળ છે. પદ્માસનવાળી છે. અને તેની ઊંચાઈ આશરે ૮૧ ઇંચ (એટલે કે ૬ ફૂટથી પણ વધુ) છે. આ દેરાસર શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ શેઠ ખુશાલચંદે સં. ૧૮૦૦ આસપાસ તૈયાર કરાવ્યું હતું. સરસપુરના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરનો નાશ સં. ૧૭૦૦ની આસપાસ થયો હતો. અને તે સમયે જે પ્રતિમાઓ ખસેડવામાં આવી હતી. તેમાંની એક પ્રતિમા જગવલ્લભના દેરાસરના ભોંયરામાં રાખવામાં આવી હતી તેવા ઉલ્લેખો અનેક ઐતિહાસિક ગ્રંથોમાં મળે છે.
આ આદિનાથના દેરાસરના ભોંયરામાં ઊતરવાનો જુદો દાદર પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે તે બંધ કરી દેવામાં આવ્યો છે. આજે પણ એ દાદર જોઈ શકાય છે. એટલે કે જગવલ્લભના દેરાસર અને આદિનાથનાં દેરાસરનાં બંને ભોંયરાં જોડી દેવામાં આવ્યાં છે. જગવલ્લભના દેરાસરની રચનામાં નાના મોટા અનેક ફેરફારો થતા રહ્યાં છે.
ચિંતામણિ પાર્શ્વનાથ અને સહસ્ત્રફણા પાર્શ્વનાથના દેરાસરની છતની લાકડાની કોતરણી તેનાં પ્રાચીન સ્વરૂપની ગૌરવગાથાનું ગુંજન કરી રહી છે. ઉપરના ભાગમાં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ આવેલી છે. તથા નવનિર્મિત દર્શનમંડપમાં પંચધાતુની શ્રી સહસ્ત્રકૂટ શ્રી શેત્રુંજય તીર્વાવતાર તથા શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ આવેલ છે. ઉપરાંત, ઉપરના ભાગમાં રંગમંડપમાં છતમાં લાકડાની સુંદર કોતરણી તથા પૂતળીઓ આવેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org