________________
૮૭
રાજનગરનાં જિનાલયો
અજિતનાથ
(સં. ૧૮૨૧ પહેલાં) આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૮૨૧માં થયેલો છે. અગાઉ આ દેરાસર છાપરાબંધી દેરાસર હતું. પરંતુ, જીર્ણોદ્ધાર થયા પછી આ દેરાસર સામરણયુક્ત બન્યું છે. આ દેરાસરના મૂળનાયક અજિતનાથજીની પ્રતિમા નાના કદની અને આશરે ૧૩ ઇંચ ઊંચાઈની છે.
આ દેરાસરનો જીર્ણોદ્ધાર અગાઉ શેઠ શ્રી મગનભાઈ કરમચંદે કરાવ્યો હતો. તે કાષ્ટની કોતરણીવાળું હતું. આજે પણ ગભારાની બારશાખમાં કાષ્ટની ઉત્તમ કોતરણીનાં દર્શન થાય છે. સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસરના બંધાવનાર તરીકે શેઠ શ્રી મગનભાઈ કરમચંદનું નામ જોડાયેલું છે. પરંતુ, તે અગાઉ સં૧૮૨૧માં આ દેરાસરનો ઉલ્લેખ મળે છે. તેથી મગનભાઈ કરમચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. આ દેરાસરમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓ સંખ્યાબંધ હોવાનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા. ૧માં આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર મહારાજશ્રીએ કરેલ છે. આ દેરાસરમાં સં. ૧૪૩૨, સં. ૧૪૮૪, સં. ૧૪૭૯ વગેરે ૧૫મા સૈકાની તથા ૧૬મા સૈકાની સંખ્યાબંધ પ્રતિમાઓનો ઉલ્લેખ છે. તેથી આ દેરાસર સં. ૧૮૨૧ પહેલાં પણ ઘણું પ્રાચીન હોવાનો સંભવ છે. આજે આ દેરાસરનો વહીવટ શેઠ શ્રી મોહનલાલ કરમચંદના પરિવારના સભ્યો કરે છે.
- જીર્ણોદ્ધાર થવાના કારણે આજે શીતલનાથજી અને અજિતનાથજીનાં દેરાસરો નવા સ્વરૂપનાં છે. આમ છતાં તે દેરાસરોમાંનાં સચવાયેલા કાષ્ટનો કેટલોક ભાગ આજે પણ તેના ભવ્ય ભૂતકાળની ગવાહીરૂપ છે. શાંતિનાથજીના દેરાસરની ગભારાની બારશાખ આજે પણ તે સમયના કાષ્ટની કલાકારીગરીનાં દર્શન કરાવે છે. ટૂંકમાં, શેખના પાડાના ઉપર જણાવેલા ચારેય દેરાસરો સં. ૧૮૨૧ પહેલાંના એટલે કે આજથી ૨૩૦ વર્ષથી વધુ પ્રાચીન સમયનાં દેરાસરો છે અને મુખ્યત્વે આ ચારેય દેરાસરો કાષ્ટની કોતરણીના સુંદર નમૂનારૂપ છે.
નિશાપોળ
જગવલ્લભ પાર્શ્વનાથ (સં. ૧૬૫૯) શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર પ્રાચીન છે. આ દેરાસર હાલના રિલીફરોડ પર આવેલા ઝવેરીવાડની નજીક નિશાપોળમાં આવેલું છે. - નિશાપોળનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. તેમાં તેનો “નિશા પાટકના નામથી ઉલ્લેખ મળે છે. દેરાસર ભોંયતળિયે તથા ભોંયરામાં એમ બે માળનું છે. ઉપરના ભાગમાં દેરાસરમાં પ્રવેશતાં જ બે ગભારા આવેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org