________________
૮૬
શાંતિનાથજી (સં. ૧૮૨૧ પહેલાં)
આ દેરાસરનો ઉલ્લેખ સં ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં મળે છે. આ દેરાસર ઘરદેરાસરની બાંધણીનાં પ્રકારનું-છાપ૨ાબંધી દેરાસર છે. આ દેરાસરના ગર્ભગૃહનાં મુખ્ય દ્વાર તથા તેની આસપાસ કાષ્ટની ઉત્તમ કલા-કારીગરીના દર્શન થાય છે. ઉપરાંત, ગર્ભગૃહની આગળની છતમાં પણ કાષ્ટની કોતરણીનાં દર્શન થાય છે.
રાજનગરનાં જિનાલયો
આ દેરાસરમાં ધાતુની ઘણી પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ પણ મળે છે. ખાસ તો મૂળનાયક શાંતિનાથજીની જમણી બાજુ પાર્શ્વનાથજીની નાના કદની, શ્યામ રંગના આરસના પથ્થરની એક ખૂબ પ્રાચીન અને ચમત્કારિક મૂર્તિ છે. પાર્શ્વનાથજીની આ પ્રાચીન, ચમત્કારિક મૂર્તિનો અગાઉના સમયમાં એવો પ્રબળ પ્રભાવ હતો કે આ દેરાસર પાર્શ્વનાથજીના દેરાસર તરીકે પણ પ્રચલિત હતું.
“જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં રાજનગરનાં જૈન દેરાસરોના આપેલા કોઠામાં આ દેરાસરનો ઉલ્લેખ શાંતિનાથના દેરાસર તરીકે થયેલો છે. અને આ દેરાસર અંચલગચ્છ દ્વારા સં. ૧૮૦૦ આસપાસ બંધાયું હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત, ૨૪ જિન મૂર્તિનો આરસનો એક સુંદર કલાત્મક પટ છે. જો કે “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં શરૂઆતની પ્રસ્તાવનામાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબ કરવામાં આવ્યો છે.
“શેખના પાડામાં શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર છે. આ મંદિર સં ૧૮૦૦ લગભગમાં અંચલગચ્છીય શ્રી સંઘે બંધાવેલું છે. આમાં દશમા સૈકાની શ્યામ આરસની પ્રાચીન ચોવીસી છે. લાકડાનાં તોરણો અને થાંભલાનું કામ સુંદર નકશીવાળું છે.”
અગાઉ જણાવ્યા મુજબ આ દેરાસરમાં ધાતુની ઘણી જ પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા૰ ૧માં થયેલો છે. સં ૧૩૭૮, સં ૧૩૮૯, સં. ૧૩૯૯ વગેરે ચૌદમા સૈકાની ધાતુ પ્રતિમાઓ, સ ૧૪૨૫, સં ૧૪૫૯, સં. ૧૪૬૯, સં. ૧૪૮૩, સં ૧૪૮૫, સં. ૧૪૯૮, સં. ૧૪૯૯ વગેરે ૧૫મા સૈકાની ધાતુ પ્રતિમાઓ તથા ૧૯મા સૈકાની અને ત્યારબાદ ૧૯મા સૈકાના અંત ભાગની એટલે કે સં ૧૮૯૮ની ધાતુ પ્રતિમાઓ આ દેરાસરમાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધાતુની આ પ્રાચીન પ્રતિમાઓના આધારે આ દેરાસરનો સમય સં ૧૮૨૧થી પણ અતિ પ્રાચીન હોવાનો સંભવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org