SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૮૫ શ્રી ચંદ્રકાન્ત કડિયા તે સમયે આશરે પાંચ વર્ષની ઉંમરના હતા અને તેઓએ આ રંગકામ થતું રોજે રોજ નિહાળ્યું છે. સં. ૧૮૨૧ પહેલાનાં જે દેરાસરો આજે વિદ્યમાન છે, તેમાંનાં મોટા ભાગનાં દેરાસરોનો જીર્ણોદ્ધાર થયો છે. અપવાદ રૂપ બહુ જ થોડાંક દેરાસરો જીર્ણોદ્ધાર થયા વિનાનાં સચવાયેલાં છે. વાસુપૂજ્યજીના આ દેરાસરનું મૂળ સ્વરૂપ આજે પણ સચવાઈ રહ્યું છે. તે દૃષ્ટિએ આ દેરાસરનું મહત્ત્વ વિશેષ છે. શીતલનાથ | (સં. ૧૮૨૧ પહેલાં) શીતલનાથના આ દેરાસરનો ઉલ્લેખ પણ સં. ૧૮૨૧માં થયેલો છે. એટલે કે સં. ૧૮૨૧ પહેલાનું આ દેરાસર છે. આ દેરાસર મૂળે લાકડાનું, સુંદર કોતરણીવાળું હતું. કાષ્ટની કોતરણીવાળાં દેરાસરો બાંધવાની જે એક પરંપરા રાજનગરમાં શરૂ થઈ હતી. તેમાં આ દેરાસર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાંતિનાથની પોળનું શાંતિનાથજીનું દેરાસર, નિશાપોળમાં આવેલું જગવલ્લભ પાર્શ્વનાથજીનું દેરાસર, શીતલનાથ ભગવાનનું શેખના પાડામાં આવેલું દેરાસર તે પરંપરા જાળવી રાખનારાં દેરાસરો પૈકીમાંનાં છે. આજે પણ રંગમંડપના ઘુમ્મટના અંદરના ભાગમાં કાષ્ટની ઉત્તમ - કોતરણીઓવાળા શિલ્પ વિદ્યમાન છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘર દેરાસરની બાંધણીના પ્રકાર તરીકે થયેલો છે. ત્યારબાદ જીર્ણોદ્ધાર થયો છે. તે સમયે દેરાસરના એક વહીવટદાર શ્રી અમરતલાલ કેશવલાલ બાપજીએ આ જીર્ણોદ્ધારના કાર્યમાં ખૂબ જ રસ દાખવ્યો હતો. જીર્ણોદ્ધાર થયા બાદ આ દેરાસર આજે ઘુમ્મટબંધી પ્રકારનું છે. “ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં જણાવ્યા મુજબ લાલા હરખચંદના નામનો ઉલ્લેખ બંધાવનારના નામ તરીકે થયેલો છે. લાલા હરખચંદ પતાસાની પોળમાં લાલાના ખાંચામાં રહેતા હતા. તેમના નામ પરથી તે ખાંચો લાલાના ખાંચા તરીકે પ્રચલિત બન્યો હતો. તેઓ ખૂબ જ ઉદાર, ઉમદા ચરિત ધરાવનાર તથા દરિયાવ દિલવાળા જૈન શાહુકાર હતા. તે સમયે મરાઠા સરદાર શેલકરે શહેરના લોકો પાસેથી આકરો વેરો લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે લાલા હરખચંદ શેલકરને એક લાખ રૂપિયા આપી એ વખતે શહેરના લોકો પાસેથી વેરો ન લેવા દીધો. તે સમયના એક લાખ રૂપિયા એ આજે કેટલી મોટી રકમ કહેવાય તેનો અંદાજ પણ આવી શકે તેમ નથી ! - શીતલનાથનું આ દેરાસર સં. ૧૮૨૧માં વિદ્યમાન હતું. લાલા હરખચંદનો સમયકાળ સં. ૧૮૫૦ આસપાસનો છે. તેથી લાલા હરખચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનો સંભવ નકારી શકાય નહિ. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે. n n Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy