________________
૮૨
રાજનગરનાં જિનાલયો
હાજરીમાં શાસન પ્રભાવનાપૂર્વક કરવામાં આવી છે.
આ દેરાસર અંગે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે મૂળનાયક આદીશ્વર ભગવંત હોવા છતાં આ દેરાસર મૂલેવા પાર્શ્વનાથ ભગવાનના દેરાસર તરીકે પ્રસિદ્ધ થયું છે. ઉપરાંત, મૂળનાયક ભગવાન દક્ષિણ દિશામાં બિરાજેલા છે, જે ભાગ્યે જ જોવા મળે છે. આ દેરાસર આખો દિવસ ખુલ્લું રહે છે. તેનો મહિમા ખૂબ જ છે. સેવા-પૂજાનો લાભ લેનાર શ્રાવકશ્રાવિકાઓની સંખ્યા ઘણી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થી આ દેરાસરમાં દર્શનનો લાભ લે છે.
ધર્મનાથ
(સં. ૧૯૦૩) મુલવા પાર્શ્વનાથની ખડકીમાં આવેલા ધર્મનાથજીનું આ દેરાસર ઘુમ્મટબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“મુડેવાની ખડક એક તિહાં દેહરાં દોય વિવેક
મુડેવા પારસ પાંમિ ધરમનાથ નમું સિર નામિ !” સં ૨૦૦૯માં પ્રગટ થયેલ જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસર બંધાવનાર તરીકે ડાહ્યાભાઈ કપુરચંદના નામનો ઉલ્લેખ આવે છે. પરંતુ, ડાહ્યાભાઈ કપૂરચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. ઘણાં વર્ષો સુધી આ દેરાસરનો વહીવટ તેઓએ સંભાળ્યો હતો. તેથી ડાહ્યાભાઈ કપૂરચંદનું નામ આ દેરાસર સાથે જોડાયેલું રહ્યું છે.
સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર બંધાવનારનું નામ શેઠ પાનાભાઈ લાલચંદ-મનસુખભાઈ દીપચંદવાળા-નો ઉલ્લેખ આવે છે અને દેરાસર સં૧૯૦૩માં બંધાયાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસરમાં બે ગુરુમૂર્તિઓનો ઉલ્લેખ હતો. પરંતુ આજે ચાર ગુરુ ભગવંતની મૂર્તિઓ વિદ્યમાન છે.
૧. શ્રી વલ્લભસૂરિ મહારાજ સાહેબ ૨. બુદ્ધિસાગર સુરિ મહારાજ સાહેબ ૩. શ્રી વિજયનેમિસૂરિ મહારાજ સાહેબ ૪. વિજયાનંદસૂરિ મહારાજ સાહેબ
આ દેરાસરની ચારે બાજુ દેવકુલિકા છે તથા થાંભલા પર સુંદર કોતરણી જોવા મળે છે. બાંધણીની દષ્ટિએ આ દેરાસર ખૂબ જ નયનરમ્ય લાગે છે.
ઘણાં વર્ષો સુધી રાજનગરની જૈનશાસનની અનેક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર પાંજરાપોળ હતું. શહેરમાં પંચકલ્યાણકની રથયાત્રા પાંજરાપોળમાંથી શરૂ થતી હતી. શાસનસમ્રાટ પરમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org